Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 13
________________ પ્રકરણ ૨ ૨. ૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયપ્રાભૂતમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે, તે મારા વર્તતા સ્વઆત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્ય ભગવાન કહે છે કે, ‘દ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું - એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું' મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. 3. પરમાગમસાર ૪. (પૂજ્ય ગુરુદેવશ્રીના આગમો ઉપરના પ્રવચન રત્નો) ॐ नमः सिद्धेभ्यः સમયપ્રાભૂત એટલે સમયસારરૂપી ભેટણું. જેમ રાજાને મળવા ભેટગું આપવું પડે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મા દશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-યારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટલું આપ્યું પરમાત્મા દશા - સિદ્ધ દશા - પ્રગટ થાય છે. આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ-વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. પરમ પારિણામિક ભાવ છું. કારણ પરમાત્મા છું. કારણ જીવ છું. શુદ્ધ ઉપયોગોહં. નિર્વિકલ્પોહં ૐ ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે રાગ-દ્વેષનું કર્તૃત્વ મનાવે છે. રાગ-દ્વેષનું કર્તૃત્વ થતાં અકર્તા એવો જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ એની દૃષ્ટિમાં આવતો નથી તેથી પરિભ્રમણનું મૂળ એવું રાગ-દ્વેષનું કર્તૃત્વ એવું અજ્ઞાન એ જ સંસારનું બીજ છે. مر આત્માને અવિરત ચોથા ગુણસ્થાનમાં પણ પ્રથમ સ્વસંવેદન પ્રત્યક્ષ થવું તે અનિવાર્ય છે કેમ કે તેમાં રાગાદિની અપેક્ષા રહેતી નથી. તેથી તેને વીતરાગ અનુભૂતિ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 550