________________ (44) શ્રી મુનિપતિ ચરિત્ર, અભય ! હાર શેાધી આપ, નહીં તો ચોરની શિક્ષાને પાત્ર થઈશ.” રાજાનાં એવાં વચન સાંભળીને અભયકુમારે ઉત્તર આપ્યો કે –“હે દેવ ! હું સાત દિવસની અંદર હાર લાવી આ પીશ.” પછી અભયકુમારે છ દિવસસુધી અનેક ઉપાય કર્યા, પરંતુ હારને પત્તો લાગ્યો નહીં. સાતમે દિવસે અભયકુમારે પાખીનો દિવસ જાણી ઉપાશ્રયમાં સાધુ વસતા હતા, ત્યાં જઇ પિષધ ગ્રહણ કર્યો. તે પિષધશાળામાં શિવ, સુવ્રત, ધનદ, અને નિક નામના ચાર મુનિઓની સાથે શ્રી સુસ્થિતસૂરિ વસતા હતા. તેજદિવસે સુસ્થિતસૂરિ જિનકલ્પ ગ્રહણ કરવાની તુલના કરવા સારૂ ઉપાશ્રયની બહાર કાયેત્સર્ગમાં રહ્યા હતા હવે નગરમાં એવી વાત ચાલી કે, " જેણે રાજાનો હાર ચોર્યો હશે, તેનું નામ પ્રભાતે યક્ષ લેશે. તે વાત સાંભળીને તથા અભયકુમારની પ્રતિજ્ઞા જાણીને મણિઆરના પુત્રોએ ભયથી તે હાર ગુપ્તપણે વાનરને પાછો આપી દીધો. વાનરે તે હાર લઈ રાત્રીએ સુસ્થિતસુરિના કંઠમાં આરોપણ કર્યો. હવે ચંદ્રથી પ્રકાશિત થઈ રહેલા રાત્રીના પ્રથમ પ્રહરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust