Book Title: Munipati Charitram
Author(s): Maganlal Hathisang Shah
Publisher: Maganlal Hathisang Shah

View full book text
Previous | Next

Page 116
________________ ( 18 ) શ્રી મુનિપતિ ચરિત્ર. ધુપુરૂષ દ્રવ્ય ગ્રહણ કરે નહીં, છતાં જે તને વિશ્વાસ ન હોય તે જેવી રીતે પરિવ્રાજિકાના ગર્ભને નાશ થયે, અને દ્વેષ કરનાર વિ દુઃખી થયા, તેવી રીતે તું પણ અમને કલંકિત કરવાથી ! દુઃખી થઈશ.” આ પ્રમાણે કહેતા એવા મનિપતિસાધુના મુખમાંથી ક્રોધને લીધે ધમ્ર નિકળવા લાગે, તે જોઈ કુંચિકશેઠનો પુત્ર અત્યંત ભય પામતે છતે ત્યાં આવીને પિતાને કહેવા લાગ્યું કે –“હે તાત! એ સાધુએ તમારૂં દ્રવ્ય લીધું નથી, માટે એમને તમે ખોટું આળ ન ઘો. કારણ સાધુઓ અદત્તાદાન ગ્રહણ કરતા નથી, તેથી તેઓ દેષરહિત હોય છે. જ્યારે તમે મ્હારાથી ગુમરીતે તે દ્રવ્યને સંતાડતા હતા, ત્યારે મેં તમને જોયા હતા તેથી તે દ્રવ્ય મેં લઈ લીધું છે. હે પિતાજી ! આ મુનિ તે મહા ધૂરંધર છે, માટે તમે એમની ક્ષમા માગે.” પુત્રનાં આવાં વચનો સાંભળી અત્યંત ભય પામત એવો કુંચિક કંપવા લાગ્યો. પછી તે - મુનિના ચરણને વિષે પ્રણામ કરીને વારંવાર પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો. વ. ળી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે-અહો ! આવા કૃપાના પાત્ર, રાગદ્વેષના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118