________________
સીતા... ભાગ-૨
૩)
........રામ-લક્ષ્મણને
શ્રી વજ્રબાહુને થયેલા એ આનંદ અને ઉત્સાહનો ખ્યાલ આપવા માટે, મુનિવરના દર્શનથી મહાપુણ્યશાળી શ્રી વજ્રબાહુને શું થયું ? તે શું બોલ્યા ? અને કેવી રીતે બોલ્યા ? તેનું વર્ણન કરતાં લખ્યું છે કે –
?
मयूर इव जीमूतं तं दृष्टवा जातसंमदः । कुमार इदमाह स्म, धृत्वा सपदि वाहनम् ॥ अहो महात्मा कोप्येष, वंद्य एव महामुनिः । ચિંતામિિવ મયા, દૃષ્ટઃ પુજ્યેન ટ્યૂના 22 ‘મેઘનાં દર્શનથી જેમ મયૂર આનંદ પામે, તેમ તે મહામુનિવરનાં દર્શનથી હર્ષને પામેલા કુમાર શ્રી વજ્બાહુ, એકદમ વાહનને પકડી, એટલે કે ઉભું રખાવીને, આ પ્રમાણે કહેવા લાગ્યા કે, ‘અહો ! આ કોઈપણ મહાત્મા છે. આ મહામુનિ વંદન કરવા યોગ્ય છે. ખરેખર જચિંતામણિરત્ન જેવા આ મહર્ષિને મેં મારા ઘણા પુણ્યના યોગે જ જોયા છે.'
ભાગ્યશાળીઓ ! વિચારો ! ઉત્તમકુળના આ મહિમાને શ્રાવકકુળમાં જ્મેલા આત્માઓની મનોદશા કેવી હોય છે ? એ ખાસ આ પ્રસંગ ઉપરથી એકે એક પુણ્યાત્મા માટે વિચારણીય છે. ઉત્તમ આત્મા માટે પ્રભુમાર્ગમાં વિહરતા મુનિવરનું દર્શન એ કેવું અને કેટલું આનંદપ્રદ છે, એ આજ્ઞા સુવિહિત મુનિદર્શનથી ઈરાદાપૂર્વક બેદરકાર બનીને વિમુખ બનેલા આત્માઓએ આ ઉપરથી ખૂબખૂબ સમજ્જાનું છે. તાજો પરણીને આવેલ છે, દેવાંગના જેવી ધર્મપત્ની સાથે જ બેઠેલ છે અને આનંદપૂર્વક પોતાના નગર તરફ પ્રયાણ કરી રહેલ છે : એટલે કે ભરયુવાની છે. દેવાંગના જેવી ભાર્યા પાસે જ બેઠેલી છે, સંસારીને માટે તો ખાસ આ આનંદનો સમય છે,
તેવા સમયમાં મુનિ દૃષ્ટિએ આવ્યા કે તરત જ શ્રી વજ્રબાહુને મેઘ ક દેખાવાથી મયૂરને જેવો હર્ષ ઉત્પન્ન થાય તેવો હર્ષ ઉત્પન્ન થયો, વંદન
કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. ખરેખર, ઉત્તમકુળની પ્રાપ્તિ અને તે કુળના શુદ્ધ આચારોની જે સેવા, એ વસ્તુ જ કોઈ જુદી ચીજ છે. મુતિ સામે મળે તો વંદન વિના શ્રાવક ન જ જાય. રસ્તામાં મંદિર આવે તો શ્રાવક દર્શન કર્યા વિના જાય નહિ.