________________
૨૪ ].
જ્ઞાનાંજલિ 0 ચેટી જતાં પુસ્તકે માટે—કેટલાંક પુસ્તકની શાહીમાં શાહી બનાવનારની અણસમજ અથવા ધૂર્તતાને લીધે ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી સહજ માત્ર શરદી લાગતાં તેનાં પાનાં એંટી જવાનો ભય રહે છે. તેવાં પુસ્તકના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દે, ભભરાવવો, એટલે તેના ચાંટવાનો ભય અલ્પ થઈ જશે.
ચાંટી ગયેલ પુસ્તક માટે–કેટલાંક પુસ્તકોને વધારે પ્રમાણમાં શરદી લાગવાથી તે સેંટીને રોટલા જેવાં થઈ જાય છે. તેવા પુસ્તકને ઉખેડવા માટે પાણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવું. હવા લાગ્યા પછી ચેટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જો વધારે ચોંટી ગયેલ હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ સિવાય એ પણ એક ઉપાય છે કે જ્યારે માસામાં પુષ્કળ વરસાદ વરસતે હોય ત્યારે ચાંદી ગયેલ પુસ્તકને મકાનમાં ખુલ્લું મૂકી દેવું, અને હવા લાગ્યા પછી ઉપરની જેમ ઉખાડવું. ફેર ચોંટી ન જાય માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે.
તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તો એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવાતાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરો ભૂંસાવાને કે ખરાબ થવાને જરા પણ ભય રાખ નહિ. પરંતુ ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું નહિ. પાનાં ઉખાડતી વેળાએ પાનાની સ્લનું વચા એકબીજા પાન સાથે ચાટીને તૂટી ન જાય તે માટે સાવધાનતા રાખવી.
આ સિવાય જ્ઞાનભંડાર રાખવાનાં સ્થાનો ભેજ રહિત તેમ જ ચોમાસામાં પાણી ન પડે તેવાં હોવાં જોઈએ એ જગવિદિત છે. પુસ્તકનું રક્ષણ શાથી શાથી કરવું એ માટે કેટલાંક લિખિત પુસ્તકના અંતમાં જુદી જુદી જાતનાં સંસ્કૃત પદ્યો લખેલાં હોય છે, જે ઉપયોગી હોવાથી આ ઠેકાણે ઉતારું છું :–
जले रक्षेत् स्थले रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत् जलाद् रक्षेत् मूषकेभ्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ।। उदकानिलचौरेभ्यो मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ॥ भग्नपृष्ठकटिग्रीवं वक्रदृष्टिरधोमुखम् ।
कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ।। જ્ઞાનપંચમી–અહીં પ્રસંગોપાત્ત જણાવવું જોઈએ કે કાર્તિક શુકલ પંચમીને જ્ઞાનપંચમી તરીકે ઓળખાવી દરેક શુકલ પંચમી કરતાં તેનું માહાત્મ વધારેમાં વધારે ગાવામાં આવ્યું છે. તેનું યુક્તિ સંગત કારણ હોય તો તે એ જ છે કે વર્ષાઋતુમાં જ્ઞાનભંડારોમાં પેસી ગયેલ સ્નિગ્ધ હવા પુસ્તકને બાધકર્તા ન થાય અને પુસ્તક સદાય પોતાની સ્થિતિમાં કાયમ રહે તે માટે તેને તાપ ખવાડ જોઈએ. તેમ જ, ઉપર જણાવવામાં આવ્યું તેમ, ચોમાસાની ઋતુમાં ભંડારે બંધબારણે રાખેલ હઈ તેની આસપાસ વળેલ ધૂળ-કચરો સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ લાગવાનો પ્રસંગ ન આવે. આ બધું કરવા માટે સૌથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલે સમય કાર્તિક માસ જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org