________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXVII
અનુયાયીઓને પણ લઈને ડૂબે છે તથા નિર્મળ દિગમ્બર જૈન ધર્મને પણ કલંકીત કરે છે, બદનામ કરે છે. આ પ્રકારે તે લોકો આત્મદ્રોહી હોવાની સાથોસાથ ધર્મદ્રોહી પણ છે-આ વાતની ખાતરી આચાર્ય કુન્દ્રકુન્દને ઉંડાણથી હતી આ જ કારણ છે કે તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અષ્ટપાહુડમાં ઘણી કઠોરતાથી નિષેધ કર્યો છે.
આચાર્ય કુન્દકુન્દના આપણે બધા અનુયાયિયોનું આ પવિત્ર કર્તવ્ય છે કે એમની દ્વારા બતાવેલા માર્ગ પર આપણે પોતે તો સ્વયં ચાલીશું જ, પણ જગતને પણ એમના દ્વારા પ્રતિપાદિત સન્માર્ગનો પરિચય કરાવીશું, અને એ રસ્તે ચાલવાની પવિત્ર પ્રેરણા આપે-આ જ મંગલકામનાની સાથે આ ઉપક્રમથી વિરામ લઉં છું.
- ડૉ. હુકમચંદ ભારિલ, જયપુર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com