________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૪૩
આત્માય તેમ સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે *અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪
અર્થ:- જેમ સૂત્ર સહિત સોય ખોવાઈ જતી નથી તેમ જે પુરુષ પણ સંસારમાં ખોવાઈ રહ્યો છે, પોતાનું સ્વરૂપ પોતાને દષ્ટિગોચર નથી તો પણ સૂત્ર સહિત હોય (સૂત્રનો જ્ઞાતા હોય) તો તેને આત્મા સત્તારૂપ ચૈતન્ય ચમત્કારમયી સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એટલે ખોવાઈ જતો નથી, નાશ પામતો નથી. તે જે સંસારમાં ખોવાઈ ગયો છે તે સંસારનો નાશ કરે છે.
ભાવાર્થ- જો કે આત્મા ઈન્દ્રિય ગોચર નથી, તો પણ સૂત્રના જ્ઞાતાને સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવગોચર છે. તે સૂત્રનો જ્ઞાતા સંસારનો નાશ કરે છે. પોતે પ્રગટ થાય છે. માટે સોયનું દૃષ્ટાંત યોગ્ય છે. ૪
હવે સૂત્રમાં જે અર્થ કહ્યો છે તે કહીએ છીએ:
सुत्तत्थं जिणभणियं जीवाजीवादिबहुविहं अत्थं। हेयाहेयं च तहा जो जाणइ सो हु सट्ठिी ।।५।।
सूत्रार्थं जिनभणितं जीवाजीवादिबहुविधमर्थम्।
हेयाहेयं च तथा यो जानाति स हि सद्दष्टिः ।।५।। જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને હેય-અણહયત્વ સહુ જાણે, સુદષ્ટિ તેહ છે. ૫
અર્થ:- સૂત્રનો અર્થ જિન સર્વજ્ઞદેવે કહ્યો છે અને સૂત્રમાં જે અર્થ છે તે જીવ-અજીવ આદિ ઘણા પ્રકારે છે તથા હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય પગલાદિક અને અહેય અર્થાત્ ત્યાગવા યોગ્ય નહિ આવા આત્માને જે જાણે છે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ- સર્વજ્ઞભાષિત સૂત્રમાં જીવાદિક નવ પદાર્થ અને તેમાં હેય-ઉપાદેય આ રીતે ઘણા પ્રકારથી વ્યાખ્યાન છે, તેને જે જાણે છે તે શ્રદ્ધાવાન સમ્યગ્દષ્ટિ હોય છે. ૫
હવે કહે છે કે જિનભાષિત સૂત્ર વ્યવહાર-પરમાર્થ રૂપ બે પ્રકારે છે તેને જાણીને યોગીશ્વર શુદ્ધભાવ કરી સુખ પ્રાપ્ત કરે છે:
૧. સસૂત્ર = શાસ્ત્રનો જાણનાર. ૨. અદેપણ = દેખાતો નહિ હોવા છતાં ( અર્થાત્ ઈન્દ્રિયોથી નહિ જણાતો હોવા છતાં).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com