________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫
(અષ્ટપાહુડી
કાળમાં જિનસૂત્રથી શ્રુત થઈ ગયા છે તેમણે પોતાની ઈચ્છાથી અનેક વેષ ચલાવ્યા છે. કેટલાંક સફેદ વસ્ત્ર, કેટલાક લાલ વસ્ત્ર, કેટલાક પીળા વસ્ત્ર, કેટલાક શણના વસ્ત્ર, કેટલાક ઘાસના વસ્ત્ર અને કેટલાક રોમના ( ઉનના) વસ્ત્ર આદિ રાખે છે. તેનાથી મોક્ષમાર્ગ નથી કેમકે જિનસૂત્રમાં તો એક નગ્ન દિગમ્બર સ્વરૂપ, પાણિપાત્રમાં ભોજન કરવું આ પ્રકારે મોક્ષમાર્ગ કહ્યો છે અન્ય સર્વ વેષ મોક્ષમાર્ગ નથી અને જે માને છે તે મિથ્યાષ્ટિ છે. ૧૦
હવે દિગમ્બર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કહે છે:
जो संजमेसु सहिओ आरंभपरिग्गहेसु विरओवि। सो होइ वंदणीओ ससुरासुरमाणुसे लोए।।११।।
यः संयमेषु सहितः आरंभपरिग्रहेषु विरतः अपि। સ: મવતિ વંવનીય: સસુરાસુરમાનુષે તો
?? !
જે જીવ સંયમયુક્ત ને આરંભપરિગ્રહ વિરત છે, તે દેવ-દાનવ -માનવોના લોકત્રયમાં બંધ છે. ૧૧
અર્થ:- જે દિગમ્બર મુદ્રા ધારણ કરનાર, મુનિ ઈન્દ્રિય-મનને વશ કરવાં છે કાયાના જીવોની દયા પાળવી–આ પ્રકારે સંયમ સહિત હોય અને આરંભ અર્થાત્ ગૃહસ્થના બધા આરંભોથી તથા બાહ્યઅભ્યતર પરિગ્રહથી વિરક્ત હોય અને તેમાં પ્રવર્તે નહિ તથા “અપિ” શબ્દથી બ્રહ્મચર્ય આદિ ગુણોથી યુક્ત હોય તે દેવ-દાનવ સહિત મનુષ્ય લોકમાં વંદનને યોગ્ય છે. અન્ય વેષી પરિગ્રહ–આરંભાદિ સહિત પાંખડી (ઢોંગી) વંદન કરવા યોગ્ય નથી. ૧૧
હવે ફરીને તેમની પ્રવૃતિને વિશેષ કહે છે:
जे बावीस परीसह सहति सचीसएहिं संजुत्ता। ते होंदि वंदणीया कम्मक्खयणिज्जरासाहू।।१२।। ये द्वाविंशति परीषहान् सहते शक्तिशतैः संयुक्ताः। ते भवंति वंदनीयाः कर्मक्षय निर्जरा साधवः ।। १२ ।।
બાવીશ પરિષહને સહે છે, શક્તિશત સંયુક્ત જે, તે કર્મક્ષય ને નિર્જરામાં નિપુણ મુનિઓ બંધ છે. ૧૨
અર્થ:-જે સાધુ-મુનિ પોતાની સેંકડો શક્તિથી સહિત થયા થકાં, ક્ષુધા, તૃષાદિ બાવીશ પરિષહ સહન કરે છે અને કર્મોના ક્ષયરૂપ નિર્જરા કરવામાં પ્રવીણ છે તે સાધુ વંદન યોગ્ય છે.
૧. પાઠાંતર દોતિ ૨ શક્તિશત = સેંકડો શક્તિઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com