________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
(અષ્ટપાહુડ
અર્થ:- કેવી છે પ્રવજ્યા? ઉપશમ ક્ષમ દમયુક્તા અર્થાત્ ઉપશમ તો મોહકર્મના ઉદયના અભાવરૂપ શાંત પરિણામ અને ક્ષમા અર્થાત્ ક્રોધના અભાવરૂપ ઉત્તમ ક્ષમા તથા દમ અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોમાં નહિ પ્રવર્ત આ ભાવોથી યુક્ત છે. શરીર સંસ્કાર વર્જિતા અર્થાત્ સ્નાનાદિ દ્વારા શરીરને સજાવવું આનાથી રહિત છે. જેમાં રૂક્ષ અર્થાત્ તેલ આદિનું માલિશ શરીરને નથી. મદ, રાગ, દ્વષ રહિત છે. આ રીતે પ્રવજ્યા કહી છે.
ભાવાર્થ:- અન્યમતના વેપી ક્રોધાદિરૂપ પરિણમે છે, શરીરને સજાવીને સુંદર રાખે છે, ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરે છે, અને પોતાને દીક્ષા સહિત માને છે. તે તો ગૃહસ્થ સમાન છે. અતીત (યતિ) કહેવડાવીને ઉલટા મિથ્યાત્વને દઢ કરે છે. જૈન દીક્ષા આ પ્રકારે છે તે જ સત્યાર્થ છે. આને અંગીકાર કરે છે તે જ સાચા અતીત-યતિ છે. પ૨
હવે ફરી કહે છે:
विवरीयमूढभावा पणट्ठकम्मट्ठ णट्ठमिच्छत्ता। सम्मत्तगुणविसुद्धा पव्वज्जा एरिसा भणिया।। ५३ ।।
विपरीतमूढभावा प्रणष्टकर्माष्टा नष्टमिथ्यात्वा। सम्यक्त्वगुणविशुद्धा प्रव्रज्या ईदृशी भणिता।। ५३।।
જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે, સમ્યકત્વગુણથી શુદ્ધ છે, -દીક્ષા કહી આવી જિને. પ૩
અર્થ - કેવી છે પ્રવજ્યા? કે જેનો મૂઢભાવ, અજ્ઞાનભાવ વિપરીત થયો છે અર્થાત્ દૂર થઈ ગયો છે. અન્યમતી આત્માના સ્વરૂપને સર્વથા એકાંતથી અનેક પ્રકારે ભિન્નભિન્ન કહીને વાદ કરે છે તેમને આત્માના સ્વરૂપમાં મૂઢભાવ છે. જૈન મુનિઓને અનેકાંતથી સિદ્ધ કરેલું યથાર્થ જ્ઞાન છે તેથી તેમને મૂઢભાવ નથી. જેમાં મિથ્યાત્વ પ્રનષ્ટ થયા છે, જૈનદીક્ષામાં અતત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વનો અભાવ છે. માટે સમ્યકત્વનામક ગુણદ્વારા વિશુદ્ધ છે, નિર્મળ છે, સમ્યકત્વ સહિત દીક્ષામાં દોષ રહેતો નથી. આ પ્રકારે પ્રવજ્યા કહી છે. ૫૩
હવે ફરી કહે છે:
जिणमग्गे पव्वज्जा छहसंहणणेसु भणिय णिग्गंथा। भावंति भव्वपुरिसा कम्मक्खयकारणे भणिया।। ५४।।
जिनमार्गे प्रव्रज्या षट्संहननेषु भणिता निग्रंथा। भावयंति भव्यपुरुषाः कर्मक्षयकारणे भणिता।। ५४।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com