Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 369
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates લિંગપાહુડ) ૩ર૭ बंधो णिरओ संतो सस्सं खंडेदि तह य वसुहं पि। छिंदहि तरुगण बहुसो तिरिक्खजोणी ण सो समणो।। १६ ।। बंधं नीरजाः सन् सस्यं खंडयति तथा च सुधामपि। fછનત્તિ તા દુશ: તિર્યોનિ: ન સ: શ્રમ: 7 8૬ . જે અવગણીને બંધ, ખાંડે ધાન્ય, ખોદે પૃથ્વીને, બહુ વૃક્ષ છેદે જેહ, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૬ અર્થ:- જે મુનિલિંગ ધારણ કરીને વનસ્પતિ આદિની હિંસાથી બંધ થાય છે તેને દોષ ન માનીને-બંધને ન ગણકારતાં સસ્ય અર્થાત્ અનાજને ખાંડે છે અને તેવી જ રીતે જમીનને ખોદે છે તથા વારંવાર તરૂગણ અર્થાત્ વૃક્ષોના સમૂહને છેદે છે-એવા લિંગી તિર્યંચયોનિ છે, પશુ છે, અજ્ઞાની છે, શ્રમણ નથી. ભાવાર્થ:- વનસ્પતિ આદિ સ્થાવર જીવ જિનસૂત્રમાં કહ્યા છે અને તેની હિંસાથી કર્મ બંધ થવાનું પણ કહ્યું છે. તેને દોષ ન માનતાં ઉલટું કહે છે કે એમાં શો દોષ છે? એમાં શો બંધ છે? આ પ્રકારે માનીને તથા વૈધ કર્માદિકને નિમિત્તે ઔષધાદિકને, ધાન્યને, પૃથ્વીને તથા વનસ્પતિને ખાંડ છે, ખોદે છે, છેદે છે તે અજ્ઞાની પશુ છે લિંગ ધારણ કરીને શ્રમણ કહેવડાવે છે પણ તે શ્રમણ નથી. ૧૬ હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને સ્ત્રીઓથી રાગ કરે છે અને બીજાને દોષ આપે છે તે શ્રમણ નથી: रागं करेदि णिच्चं महिलावग्गं परं च दूसेदि। दसणणाणविहीणो तिरिक्खजोणी ण सो समणो।।१७।। रागं करोति नित्यं महिलावर्गं पर च दूषयति। दर्शनज्ञानविहीनः तिर्यगयोनिः न स: श्रमणः।।१७।। સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, દગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭ અર્થ:- જે મુનિલિંગ ધારણ કરીને સ્ત્રીઓના સમૂહ પ્રત્યે નિરંતર રાગ-પ્રીતિ કરે છે, તથા અન્ય જે નિર્દોષ છે તેમને દોષિત કહે છે. એવા જ્ઞાન-દર્શન વગરના લિંગી વેષધારી તિર્યંચયોનિ છે, પશુ સમાન અજ્ઞાની છે, શ્રમણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401