Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 386
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ (અષ્ટપાહુડ ભાવાર્થ:- લોકમાં સર્વ સામગ્રીથી જે હીણા છે પરંતુ સ્વભાવ ઉત્તમ છે, વિષયકપાયોમાં આસક્ત નથી તો તે ઉત્તમ જ છે. તેમનો મનુષ્યભવ સફળ છે. તેમનું જીવન પ્રશંસાને લાયક છે. ૧૮ હવે કહે છે કે જેટલાં પણ સારાં કાર્ય છે તે બધાં શીલનો પરિવાર છે: जीवदया दम सच्चं अचोरियं बंभचेर संतोसे। सम्मइंसण णाणं तओय सीलस्स परिवारो।। १९ ।। जीवदया दमः सत्यं अचौर्य ब्रह्मचर्य संतोषौ। सम्यग्दर्शन ज्ञान तपश्य शीलस्य परिवारः ।। १९ ।। પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ અચૌર્ય ને સંતુષ્ટતા, સમ્યકત્વ, જ્ઞાન તપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯ અર્થ:- અહિંસારૂપ જીવોની દયા, ઇન્દ્રિયોનું દમન-સંયમ, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ-એ સર્વ શીલનો પરિવાર છે. ભાવાર્થ- શીલ સ્વભાવનું તથા પ્રકૃતિનું નામ પ્રસિદ્ધ છે. મિથ્યાત્વ સહિત કપાયરૂપ જ્ઞાનની પરિણતિ તો દુરશીલ છે-કુશીલ છે. તેને સંસાર પ્રકૃતિ કહે છે. આ પ્રકૃતિ પલટે અને સમ્યક પ્રકૃતિ થાય તે સુશીલ છે. તેને મોક્ષ સન્મુખ પ્રકૃતિ કહે છે. આવા સુશીલને “જીવદયાદિક' ગાથામાં કહેલ તે બધા તેના જ પરિવાર છે. કેમકે સંસારપ્રકૃતિ પલટે ત્યારે સંસાર-દેહથી વૈરાગ્ય થાય અને મોક્ષથી અનુરાગ થાય ત્યારે જ સમ્યગ્દર્શનાદિક પરિણામ થાય, પછી જેટલી પ્રકૃતિ હોય તે બધી મોક્ષની સન્મુખ થાય. આ જ સુશીલ છે. જેના સંસારનો અંત આવે છે તેને આવી પ્રકૃતિ હોય છે. આ પ્રકૃતિ ન થાય ત્યાં સુધી સંસારભ્રમણ જ છે એમ જાણવું. ૧૯ હવે શીલ જ તપ આદિ છે એવો શીલનો મહિમા કહે છે: सीलं तवो विसुद्धं दंसणसुद्धी य णाण सुद्धीय। सीलं विसयाण अरी सीलं मोक्खस्स सोवाणं ।।२०।। शीलं तपः विशुद्ध दर्शनशुद्धिश्च ज्ञान शुद्धिश्च । शीलं विषयाणामरिः शीलं मोक्षस्य सोपानम्।।२०।। છે શીલ તે તપ શુદ્ધ, તે દગ શુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે, છે શીલ અરિ વિષયો તણો ને શીલ શીવ સોપાન છે. ૨૦ ૧ અરિ = વેરી; શત્રુ. ૨ શીવસોપાન = મોક્ષનું પગથિયું Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401