Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 379
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates શીલપાહુડ) ૩૩૭ તે શ્રેષ્ઠ નથી. ઇન્દ્રિય સંયમ, પ્રાણસંયમ સહિત ઉપવાસદિકનું તપ થોડું પણ કરે તો મોટું ફળ આપે છે અને વિષયાભિલાષ તથા દયા રહિત ઘણા કષ્ટ સહિત તપ કરે તો પણ ફળ આપતું નથી. એમ જાણવું. ૬ હવે કહે છે કે જો કોઈ જ્ઞાનને જાણીને વિષયાસક્ત રહે છે તે સંસારમાં જ ભ્રમણ કરે છે: णाणं णाऊण णरा केई विसयाइ भाव संसत्ता। हिंडंति चादुरगदि विसएसु विमोहिया मूढा।।७।। ज्ञानं ज्ञात्वा नराः केचित् विषयादिभाव संसक्ताः। हिंडते चर्तुगतिं विषयेषु विमोहिता मूढाः।।७।। નર કોઈ જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે, ભટકે ચતુર્ગતિમાં અરે ! વિષયે વિમોહિત મૂઢ એ. ૭ અર્થ - કોઈ મૂઢ-મોહી પુરુષ જ્ઞાનને જાણીને પણ વિષયોમાં આસક્તિભાવથી ચતુર્ગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. કેમકે વિષયોથી વિમોહિત થતાં ફરી સંસાર પ્રાપ્ત કરશે. તેમાં પણ વિષય-કષાયોના જ સંસ્કાર છે. ભાવાર્થ:- જ્ઞાન પ્રાપ્ત કરીને વિષય-કષાય છોડવા એ સારું છે નહિ તો જ્ઞાન પણ અજ્ઞાન જેવું જ છે. ૭ હવે કહે છે કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને આ પ્રકારે કરે તો સંસાર કપાયઃ जे पुण विसयविरत्ता णाणं णाऊण भावणासहिदा। छिंदंति चादुरगदिं तवगुणजुत्ता ण संदेहो।।८।। ये पुनः विषयविरक्ताः ज्ञानं ज्ञात्वा भावनासहिताः। छिन्दन्ति चतुर्गतिं तपोगुण युक्ता: न संदेहः।।८।। પણ વિષયમાંહી વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત જે, નિઃશંક તે તપ ગુણ સહિત છેદે ચતુર્ગતિભ્રમણને. ૮ અર્થ:- જે જ્ઞાનને જાણીને વિષયોથી વિરક્ત થઈ જ્ઞાનની વારંવાર અનુભવરૂપ ભાવના સહિત વર્તે છે તે તપ તથા ગુણ અર્થાત્ મૂળગુણ અને ઉત્તરગુણયુક્ત થઈને ચારગતિ રૂપ સંસારને છેદે છે, નાશ કરે છે એમાં સંદેહ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401