Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 378
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ (અષ્ટપાહુડ णाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसण विहूणं। संजम हीणो य तवो जइ चरइ णिरत्थयं सव्वं ।।५।। ज्ञानं चारित्रहीनं लिंगग्रहणं च दर्शनविहीनं। संयमहीनं च तपः यदि चरति निरर्थंकं सर्वम्।।५।। જે જ્ઞાન ચરણ વિહીન, ધારણ લિંગનું દગહીન જે, તપચરણ જે સંયમ સુવિરહિત, તે બધુંય નિરર્થ છે. ૫ અર્થ:- જ્ઞાન જો ચારિત્ર રહિત હોય તો તે નિરર્થક છે અને લિંગ ગ્રહણ જો દર્શન રહિત હોય તો તે પણ નિરર્થક છે તથા સંયમરહિત તપ પણ નિરર્થક છે. આ પ્રકારે આવા આચરણ કરે તો તે સર્વ નિરર્થક છે. ભાવાર્થ:- હેય-ઉપાદેયનું જ્ઞાન તો હોય અને ત્યાગ-ગ્રહણ ન કરે તો જ્ઞાન નિષ્ફળ છે યથાર્થ શ્રદ્ધાન વિના દીક્ષા લઈ લે તો તે પણ નિષ્ફળ છે, (સ્વાનુભૂતિના બળ દ્વારા) ઈન્દ્રિયોને વશમાં રાખવીને જીવોની દયા પાળવી તે સંયમ છે. એના વિના કંઈ તપ કરે તો અહિંસાદિકથી તે વિપરીત હોય તો તપ પણ નિષ્ફળ છે. આ પ્રકારથી તેનું આચરણ નિષ્ફળ થાય છે. ૫ હવે કહે છે કે આવું કરીને થોડું પણ કરે તો ઘણું ફળ આપે છે णाणं चरित्तसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ।।६।। ज्ञानं चारित्रसुद्धं लिंगग्रहणं च दर्शन विशुद्धम्। संयमसहितं च तपः स्तोकमपि महाफलं भवति।।६।। જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે, ત૫ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬ અર્થ:- જ્ઞાન ચારિત્રથી શુદ્ધ લિંગનું ગ્રહણ, દર્શનથી શુદ્ધ તથા સંયમ સહિત ત૫ - આવું થોડું પણ આચરણ કરે તો માફળરૂપ થાય છે. ભાવાર્થ- જ્ઞાન થોડું પણ હોય, છતાં આચરણ શુદ્ધ કરે તો મોટું ફળ આપે છે. તેવી જ રીતે સમ્યગ્દર્શન સહિત મુનિપણું ગ્રહણ કરે તો ઉત્તમ ફળ આપે છે. જેમકે સમ્યગ્દર્શન સહિત શ્રાવક જ હોય તો તે શ્રેષ્ઠ છે અને સમ્યગ્દર્શન વિનાનો મુનિનો વેષ હોય તો પણ ૧. નિરર્થ = નિરર્થક નિષ્ફળ. ૨. દગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ. ૩. સસંયમ = સંયમ સહિત. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401