________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૧
હવે દીક્ષાનું બાહ્યસ્વરૂપ કહે છે:
जहजायरूवसरिसा अवलंबियभुय णिराउहा संता। परकियणिलयणिवासा पव्वज्जा एरिसा भणिया।। ५१ ।।
यथाजातरूपसदृशी अवलंबितभजा निरायधा शांता। परकृतनिलयनिवासा प्रव्रज्या ईदृशी भणिता।। ५१ ।।
જમ્યા પ્રમાણે રૂપ, લંબિતભુજ, 'નિરાયુધ, શાંત છે, પ૨કૃત નિલયમાં વાસ છે, -દીક્ષા કહી આવી જિને. ૨૧
અર્થ - કેવી છે પ્રવજ્યા? યથાજાતરૂપ સદેશી અર્થાત્ જન્મ થતાં જ બાળકનું જેવું નગ્નરૂપ હોય છે તેવું જ નગ્નરૂપ આમાં હોય છે. અવલંબિત ભુજા અર્થાત્ જેમાં ભુજા નીચે લટકાવેલ હોય છે, જેમાં મોટા ભાગે કાયોત્સર્ગમાં ઊભા રહેવાનું હોય છે. નિરાયુધા અર્થાત્ આયુધથી રહિત હોય છે. શાંતા અર્થાત્ જેમાં અંગ-ઉપાંગના વિકારરહિત શાંત મુદ્રા હોય છે. પરકૃત નિલયનિવાસા અર્થાત્ જેમાં બીજાએ બનાવેલું નિલય (મકાન) જે વસ્તિકા આદિ–તેમાં નિવાસ હોય છે. જેમાં પોતાથી કૃત, કારિત, અનુમોદના, તથા મન, વચન, કાયા દ્વારા દોષ ના લાગ્યો હોય એવી બીજાની બનાવેલી વસ્તિકા તેમાં રહેવાનું હોય છે. આવી પ્રવ્રજ્યા કહી છે.
ભાવાર્થ:- (કેટલાક ) અન્યમતી લોકો બાહ્યમાં વસ્ત્રાદિક રાખે છે, કેટલાક આયુધ રાખે છે, કેટલાક સુખ માટે આસન ચલાચલ રાખે છે, કેટલાક ઉપાશ્રય આદિ રહેવા માટે નિવાસ બનાવીને તેમાં રહે છે અને પોતાને દીક્ષા સહિત માને છે. તેને વેશમાત્ર છે. જૈન દીક્ષા તો જેવી ઉપર કહી તેવી જ છે. ૫૧
હવે ફરી કહે છે:
उवसमखमदमजुत्ता सरीरसंकार वज्जिया रुक्खा। मयरायदोसरहिया पव्वज्जा एरिसा भणिया।। ५२ ।।
उपशमक्षमदमयुक्ता शरीर संस्कार वर्जिता रूक्षा। मदरागदोषरहिता प्रव्रज्या ईदृशी भणिता।। ५२।।
ઉપશમ-ક્ષમા-દમયુક્ત, તનસંસ્કારવર્જિત “રૂક્ષ છે, મદ-રાગ-દ્વેષવિહીન છે, -દીક્ષા કહી આવી જિને. પ૨
૧ લંબિતભુજ = નીચે લટકતા હાથવાળી, ૨ નિરાયુધ = શસ્ત્રરહિત ૩ નિલય = રહેઠાણ. ૪ દમ = ઇન્દ્રિયનિગ્રહ. ૫ રૂક્ષ = તેલમનિ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com