Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 321
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષપાહુડ ) મોક્ષને ૫દ્રવ્યની જેમ ઇષ્ટ માની તેવા જ રાગભાવ કરે છે તો તે જીવ-મુનિ પણ અજ્ઞાની છે, કેમકે તે આત્મસ્વભાવથી વિપરીત છે-તેણે આત્મસ્વભાવને જાણ્યો નથી. ભાવાર્થ:- મોક્ષ તો સર્વ કર્મોથી રહિત પોતાનો જ સ્વભાવ છે. પોતાને સર્વ કર્મોથી રહિત થવાનું છે. તેથી આ પણ રાગભાવ જ્ઞાનીને થતો નથી. જો ચારિત્રમોહના ઉદયરૂપ રાગ હોય તો તે રાગને પણ બંધનું કારણ જાણીને રોગની જેમ છોડવા ઇચ્છે તો તે જ્ઞાની છે જ. અને જો આ રાગભાવને ભલો સમજીને પોતે કરે છે તો તે અજ્ઞાની છે. આત્માનો સ્વભાવ સર્વે રાગાદિકોથી રહિત છે એમ તેણે જાણ્યું નથી. આ પ્રકારે રાગભાવને મોક્ષનું કારણ અને સારૂં સમજીને કરે છે તેનો નિષેધ છે. ૫૫ હવે કહે છે કે જે કર્મમાત્રથી જ સિદ્ધિ માને છે તેણે આત્મસ્વભાવને જાણ્યો નથી, તે અજ્ઞાની છે, જિનમતથી પ્રતિકૂળ છે: जो कम्म जादमइओ सहावणाणस्स खंडदूसयरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ।। ५६ ।। यः कर्म जातमतिक: स्वभावज्ञानस्य खंडदूषणकर: सः तेन तु अज्ञानी जिनशासनदूषकः भणितः।। ५६ ।। ‘કર્મજમતિક જે ‘ખંડદૂષણકર સ્વભાવિકશાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. પ૬. ૨૭૯ અર્થ:- જેનું જ્ઞાન કર્મથી ઉત્પન્ન થયું છે તેવો પુરુષ સ્વભાવ જ્ઞાન જે કેવળજ્ઞાન છે તેને ખંડરૂપ દૂષણ દેવાવાળો છે. ઇન્દ્રિય જ્ઞાન ખંડ ખંડરૂપ છે, પોતપોતાના વિષયને જાણે છે, તેટલા જ જ્ઞાનને જે માને છે તેથી એવી માન્યતાવાળા અજ્ઞાની સર્વજ્ઞ ભાષિત જિનમતને દૂષણ આપનારા થાય છે. (પોતામાં મહાદોષ ઉત્પન્ન કરે છે.) = ભાવાર્થ:- મીમાંસક મતવાળા કર્મવાદી છે, સર્વજ્ઞને માનતા નથી. ઇન્દ્રિય જ્ઞાનમાત્ર જ જ્ઞાન છે એમ માને છે, કેવળજ્ઞાનને માનતા નથી-તેમનો અહીં નિષેધ કર્યો છે. કેમકે જિનમતમાં આત્માનો સ્વભાવ સર્વને જાણવાવાળા કેવળજ્ઞાનસ્વરૂપ કહ્યો છે. પરંતુ કર્મના નિમિત્તથી આવરણરૂપ થઈને ઇન્દ્રિયો દ્વારા ક્ષયોપશમના નિમિત્તથી ખંડરૂપ થઈ ખંડ-ખંડ (એક એક) વિષયોને જાણે છે. ( પોતાના બળથી ) કર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આત્મા સર્વજ્ઞ થાય છે. આ પ્રકારે મીમાંસક મતવાળા માનતા નથી. તેથી ૧ કર્મજમતિક કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા; કર્મનિમિત્તક વૈભાવિક બુદ્ધિવાળા (જીવ). ૩ ખંડદૂષણક ૨ સ્વભાવિક જ્ઞાનમાં સ્વભાવજ્ઞાનને ખંડખંડરૂપ કરીને દૂષિત ક૨ના૨ (અર્થાત્ તેને ખંડખંડરૂપ માનીને દૂષણ લગાડનાર). ૩ જિનશાસન તણા દૂષક જિન શાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ લગાડનાર. = Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401