________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
મોક્ષને ૫દ્રવ્યની જેમ ઇષ્ટ માની તેવા જ રાગભાવ કરે છે તો તે જીવ-મુનિ પણ અજ્ઞાની છે, કેમકે તે આત્મસ્વભાવથી વિપરીત છે-તેણે આત્મસ્વભાવને જાણ્યો નથી.
ભાવાર્થ:- મોક્ષ તો સર્વ કર્મોથી રહિત પોતાનો જ સ્વભાવ છે. પોતાને સર્વ કર્મોથી રહિત થવાનું છે. તેથી આ પણ રાગભાવ જ્ઞાનીને થતો નથી. જો ચારિત્રમોહના ઉદયરૂપ રાગ હોય તો તે રાગને પણ બંધનું કારણ જાણીને રોગની જેમ છોડવા ઇચ્છે તો તે જ્ઞાની છે જ. અને જો આ રાગભાવને ભલો સમજીને પોતે કરે છે તો તે અજ્ઞાની છે. આત્માનો સ્વભાવ સર્વે રાગાદિકોથી રહિત છે એમ તેણે જાણ્યું નથી. આ પ્રકારે રાગભાવને મોક્ષનું કારણ અને સારૂં સમજીને કરે છે તેનો નિષેધ છે. ૫૫
હવે કહે છે કે જે કર્મમાત્રથી જ સિદ્ધિ માને છે તેણે આત્મસ્વભાવને જાણ્યો નથી, તે અજ્ઞાની છે, જિનમતથી પ્રતિકૂળ છે:
जो कम्म जादमइओ सहावणाणस्स खंडदूसयरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ।। ५६ ।।
यः कर्म जातमतिक: स्वभावज्ञानस्य खंडदूषणकर: सः तेन तु अज्ञानी जिनशासनदूषकः भणितः।। ५६ ।। ‘કર્મજમતિક જે ‘ખંડદૂષણકર સ્વભાવિકશાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. પ૬.
૨૭૯
અર્થ:- જેનું જ્ઞાન કર્મથી ઉત્પન્ન થયું છે તેવો પુરુષ સ્વભાવ જ્ઞાન જે કેવળજ્ઞાન છે તેને ખંડરૂપ દૂષણ દેવાવાળો છે. ઇન્દ્રિય જ્ઞાન ખંડ ખંડરૂપ છે, પોતપોતાના વિષયને જાણે છે, તેટલા જ જ્ઞાનને જે માને છે તેથી એવી માન્યતાવાળા અજ્ઞાની સર્વજ્ઞ ભાષિત જિનમતને દૂષણ આપનારા થાય છે. (પોતામાં મહાદોષ ઉત્પન્ન કરે છે.)
=
ભાવાર્થ:- મીમાંસક મતવાળા કર્મવાદી છે, સર્વજ્ઞને માનતા નથી. ઇન્દ્રિય જ્ઞાનમાત્ર જ જ્ઞાન છે એમ માને છે, કેવળજ્ઞાનને માનતા નથી-તેમનો અહીં નિષેધ કર્યો છે. કેમકે જિનમતમાં આત્માનો સ્વભાવ સર્વને જાણવાવાળા કેવળજ્ઞાનસ્વરૂપ કહ્યો છે. પરંતુ કર્મના નિમિત્તથી આવરણરૂપ થઈને ઇન્દ્રિયો દ્વારા ક્ષયોપશમના નિમિત્તથી ખંડરૂપ થઈ ખંડ-ખંડ (એક એક) વિષયોને જાણે છે. ( પોતાના બળથી ) કર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આત્મા સર્વજ્ઞ થાય છે. આ પ્રકારે મીમાંસક મતવાળા માનતા નથી. તેથી
૧ કર્મજમતિક કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા; કર્મનિમિત્તક વૈભાવિક બુદ્ધિવાળા (જીવ). ૩ ખંડદૂષણક ૨ સ્વભાવિક જ્ઞાનમાં સ્વભાવજ્ઞાનને ખંડખંડરૂપ કરીને દૂષિત ક૨ના૨ (અર્થાત્ તેને ખંડખંડરૂપ માનીને દૂષણ લગાડનાર). ૩ જિનશાસન તણા દૂષક જિન શાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ લગાડનાર.
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com