________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
(અષ્ટપાહુડી
તે અજ્ઞાની છે-જિનમતથી પ્રતિકૂળ છે. કર્મમાત્રમાં જ તેની બુદ્ધિ ચાલી રહી છે. આવું જે કોઈ બીજા માને છે તે એવા જ જાણવા. પ૬
હવે કહે છે કે જે જ્ઞાન-ચારિત્ર રહિત હોય અને તપ સમ્યકત્વ રહિત હોય તથા અન્ય ક્રિયા પણ ભાવપૂર્વક ન હોય તો આ પ્રકારે કેવળ લિંગ-વેષ માત્રથી જ શું સુખ છે? અર્થાત્ કંઈપણ નથી:
णाणं चरित्तहीणं दंसणहीणं तवेहिं अण्णेसु भावरहियं लिंगग्गहणेण किं
संजुत्तं । सोक्खं ।।५७।।
ज्ञानं चारित्रहीनं दर्शनहीनं तपोभिः संयुक्तम्। अन्येषु भावरहितं लिंगग्रहणेन किं सौख्यम्।।५७।।
જ્યાં જ્ઞાન ચરિતવિહીન છે, તપયુક્ત પણ દગહીન છે, વળી અન્ય કાર્યો ‘ભાવહીન, તે લિંગથી સુખ શું અરે? પ૭
અર્થ - જ્યાં જ્ઞાન ચારિત્રરહિત છે, તપયુક્ત છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત છે; તેમજ આવશ્યક આદિ ક્રિયાઓ પણ છે પરંતુ તેમાં પણ શુદ્ધ ભાવ નથી. આ પ્રકારે લીંગ-વેષ ગ્રહણ કરવાથી શું સુખ છે?
ભાવાર્થ- કોઈ મુનિ વેષમાત્રથી તો મુનિ થયો અને શાસ્ત્ર પણ વાંચે છે તેને કહે છે ક-શાસ્ત્ર વાંચીને જ્ઞાન તો મેળવ્યું પરંતુ નિશ્ચય ચારિત્ર જે શુદ્ધ આત્માના અનુભવરૂપ તથા બાહ્ય ચારિત્ર નિર્દોષ ન કર્યું તથા તપનો કલેશ ઘણો કર્યો, પણ સમ્યકત્વ ભાવના ન થઈ અને આવશ્યક આદિ બાહ્ય ક્રિયા કરી, પરંતુ ભાવ શુદ્ધ ન થયા તો એવા બાહ્ય વેષ માત્રથી તો કલેશ જ થયો. કાંઈ શાંત ભાવરૂપ સુખ તો મળ્યું નહિ અને આ મુનિલેષ પરલોકના સુખમાં પણ કારણ ન થયો. તેથી સમ્યકત્વપૂર્વક વેષ ( જિનબિંગ ) ધારણ કરવો ઉત્તમ છે. પ૭
હવે સાંખ્યમતી આદિનો નિષેધ કરે છે:
अच्चेयणं पि चेदा जो मण्णइ सो हवेइ अण्णाणी। सो पुण णाणी भणिओ जो मण्णइ चेयणे चेदा।।५८ ।।
अचेतनेपि चेतनं यः मन्यते सः भवति अज्ञानी। સ: પુન: જ્ઞાન મળત: 4: મન્યતે વેતને વેતનમા૬૮ાા
૧ રંગહીન = સમ્યગ્દર્શન રહિત. ૨ અન્ય કાર્યો = બીજી (આવશ્યકાદિ) ક્રિયાઓ. ૩ ભાવહીન = શુદ્ધ ભાવ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com