________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૦૩
અર્થ - સપરાપેક્ષલિંગ અર્થાત્ પોતે કંઈક લૌકિક પ્રયોજન મનમાં ધારણ કરીને વેષ લે તે સ્થાપેક્ષ છે અને કોઈ પરની અપેક્ષાથી વેષ ધારણ કરે-કોઈ આગ્રહુ તથા રાજાદિકના ભયથી ધારણ કરે તે પરાપેક્ષ છે. રાગી દેવ (જેને સ્ત્રી આદિનો રાગ જોવામાં આવે છે ) અને સંયમ રહિતને વંદના કરે, માને, શ્રદ્ધાન કરે તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ તેવી શ્રદ્ધા, પૂજા, વંદના કરતા નથી.
ભાવાર્થ:- ઉપર કહ્યું તેનાથી મિથ્યાદષ્ટિને પ્રીતિ, ભક્તિ ઉત્પન્ન થાય છે. જે નિરતિચાર સમ્યગ્દષ્ટિ છે તે તેમને માનતા નથી. ૯૩
सम्माइट्ठी सावय धम्मं जिणदेवदेसियं कुणदि। विवरीयं कुव्वंतो मिच्छादिट्ठी मुणेयव्वो।।९४।। सम्यग्दृष्टि: श्रावक: धर्मं जिनदेव देशितं करोति। विपरीतं कुर्वन् मिथ्यादृष्टि: ज्ञातव्यः।। ९४ ।। સમ્યકત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને;
વિપરીત તેથી જે કરે, કુદષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪ અર્થ - જિનદેવથી ઉપદેશિત ધર્મનું પાલન કરે છે તે સમ્યગ્દષ્ટિ શ્રાવક છે અને જે અન્યમતના ઉપદેશિત ધર્મનું પાલન કરે છે તેને મિથ્યાષ્ટિ જાણવા.
ભાવાર્થ- આ પ્રકારે કહેવાથી અહીં કોઈ તર્ક કરે છે–આ તો પોતાનો મત પુષ્ટ કરવા પક્ષપાતવાળી વાતકહી. તેને ઉત્તર આપે છે કે એવું નથી. જેનાથી સર્વ જીવોનું હિત થાય તે ધર્મ છે. એવા અહિંસારૂપ ધર્મનું જિનદેવે જ નિરૂપણ કર્યું છે, અન્ય મતમાં એવા ધર્મનું નિરૂપણ નથી. આ પ્રમાણે જાણવું. ૯૪ હવે કહે છે કે જે મિથ્યાષ્ટિ જીવ છે તે સંસારમાં દુઃખ સહિત ભ્રમણ કરે છે –
मिच्छादिट्ठि जो सो संसारे संसरेइ सुहरहिओ।
जम्मजरमरणपउरे दुक्खसहस्साउले जीवो।। ९५ ।। મિથ્યાદfઇ: ૫: : સંસારે સંસતિ સુવરહિત..
जन्मजरामरणप्रचुरे दुःखसहस्राकुल: जीवः।।९५।। કુદષ્ટિ છે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં,
જર-જન્મ-મરણ પ્રચુરતા, દુ:ખગણસહસ્ર ભર્યા જિહાં. ૯૫ અર્થ:- જે જીવ મિથ્યાષ્ટિ છે તે જન્મ, જરા, મરણથી પ્રચુર અને હજારો દુઃખોથી ભરેલા આ સંસારમાં સુખ રહિત દુઃખી થઈને ભ્રમણ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com