________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
(અષ્ટપાહુડ
અનાયતન વિષે વિશેષ ખુલાસો કરતાં કહે છે કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર તથા એ ત્રણેની સેવા-ભક્તિ કરનારા એ ધર્મોના આયતન એટલે સ્થાન નથી માટે અનાયતન કહ્યાં છે.
જે રાગી, દ્વેષી, કામ, ક્રોધ, લોભી, શસ્ત્ર, સ્ત્રી આદિ સહિત દેવો છે તેમનામાં સમ્યક ધર્મ નથી. તેથી કુદેવ છે, તે અનાયતન છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોના લોલુપી, પરિગ્રહમાં આસક્ત, આરંભ કરનારા, વેષધારી તે ગુરુ નથી, ધર્મ રહિત છે તેથી તે અનાયતન છે.
હિંસાના આરંભની પ્રેરણા કરનાર રાગ દ્વેષાદિ દોષોને વધારનાર, સર્વથા એકાંત પ્રરૂપણા કરનાર શાસ્ત્રો તે કુશાસ્ત્ર ધર્મરહિત છે, તેથી તે અનાયતન છે.
દેવી, ક્ષેત્રપાળ આદિ દેવોને વંદન કરનાર, માન્યતા માનનાર કુદેવના ભક્ત છે તેથી તે અનાયતન છે.
કુગુરુને સેવનાર, ભક્તિ કરનારા ધર્મથી રહિત છે, તે કુગુરુના ભક્ત છે તેથી તે અનાયતન છે.
મિથ્યાશાસ્ત્રને ભણનારા તેની સેવા ભક્તિ કરનાર એકાંતી, ધર્મનાં સ્થાન નથી તે કુશાસ્ત્ર છે તેથી તે કુશાસ્ત્રના ભક્ત અનાયતન છે.
આ પ્રકારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેની સેવાભક્તિ કરનારા કુભક્તો એ છએમાં ધર્મ નથી. તેથી અનાયતન હોવાથી તેનો ત્યાગ કર્તવ્ય છે. તેથી સમ્યગ્દર્શનની વિશુદ્ધિ થાય છે. ૧૩૩
છ અનાયતન તજ, કર દયા ષજીવની દ્વિવિધ સદા, મહાસત્ત્વને તું ભાવ રે! અપુરવપણે હે મુનિવરા.
ભાવપાહુડ-૧૩૩
અર્થ:- હે અપૂર્વ પરિણામના ધારક મહાસત્વ મુનિવર ! તમે મન વચન કાયાથી સદા છકાય જીવની રક્ષા કરો. તેમજ પાપનાં છ સ્થાનક-અનાયતન છે તેનો ત્યાગ કરો તથા પૂર્વે કદી ભાવી નથી એવી અપૂર્વ પોતાના ચૈતન્યસ્વરૂપ સહુજાત્માની ભાવના ભાવો.
ભાવાર્થ- કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર તથા એ ત્રણેની સેવા ભક્તિ કરનારા એ ધર્મના આયતન એટલે સ્થાન નથી, માટે અનાયતન કહ્યાં છે.
(૧) જે રાગી, દ્વેષી, કામ, ક્રોધ, લોભી, શસ્ત્ર, સ્ત્રી આદિ સહિત દેવો છે તેમનામાં સમ્યક ધર્મ નથી તેથી કુદેવ છે માટે અનાયતન કહ્યાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com