________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
ર૬૫
અર્થ:- આચાર્ય કહે છે કે પાંચ મહાવ્રત સહિત વર્તતા થકા તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત વર્તતા થકા અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રય સહિત વર્તતા થકા એવા હે મુનિ જનો! તમે ધ્યાન અને અધ્યયન-શાસ્ત્રોનો અભ્યાસ સદા કરો.
ભાવાર્થ- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ-આ પાંચ મહાવ્રત; ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, પ્રતિષ્ઠાપન-એ પાંચ સમિતિ અને મન, વચન, કાયના નિગ્રહરૂપ ત્રણ ગુપ્તિ-આ તેર પ્રકારનું ચારિત્ર જિનદેવે કહ્યું છે. તેનાથી યુક્ત વર્તતા થકા અને નિશ્ચય વ્યવહારરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેલ છે તેનાથી યુક્ત થઈને ધ્યાન અને અધ્યયન કરવાનો ઉપદેશ છે. તેમાં પણ મુખ્ય તો ધ્યાન જ છે અને જો એમાં મન ન લાગે તો શાસ્ત્રના અભ્યાસમાં મન લગાડવું. આ પણ ધ્યાન તુલ્ય જ છે. કેમકે શાસ્ત્રમાં પરમાત્માના સ્વરૂપનો નિર્ણય છે તે આ ધ્યાનનું જ અંગ છે. ૩૩.
હવે કહે છે કે જે રત્નત્રયની આરાધના કરે છે તે જીવ આરાધક જ છે
रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयव्वो। आराहणाविहणं तस्स फलं केवलं गाणं।।३४।।
रत्नत्रयमाराधयन जीव: आराधक: ज्ञातव्यः। आराधनाविधानं तस्य फलं केवलं ज्ञानम्।।३४।।
રત્નત્રયી આરાધનારો જીવ આરાધક કહ્યો; આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો ! ૩૪
અર્થ:- રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરનાર જીવને આરાધક જાણવો અને આરાધનાના વિધાનનું ફળ કેવળજ્ઞાન છે.
ભાવાર્થ:- જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરે છે તે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે. ૩૪
હવે કહે છે કે શુદ્ધાત્મા છે તે કેવલજ્ઞાન છે અને કેવલજ્ઞાન છે તે શુદ્ધાત્મા છે:
सिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरिसी य। सो जिणवरेहिं भणिओ जाण तुमं केवलं णाणं ।। ३५।।
सिद्धः शुद्धः आत्मा सर्वज्ञः सर्वलोकदर्शी च। સ: નિનવ૨: મળત: નાનાદિ – જેવ« જ્ઞાના રૂફ /
Please inform us of any errors on rajesh@AtmaDharma.com