________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૭૯
હવે કહે છે કે સંયમાચરણ ચારિત્રમાં શ્રાવક ધર્મ કહ્યો. હવે યતિધર્મ કહે છે:
एवं सावयधम्मं संजमचरणं उदेसियं सयलं। सुद्धं संजमचरणं जइधम्मं णिक्कलं वोच्छे।। २७ ।।
एवं श्रावकधर्मं संयमचरणं उपदेशितं सकलम्। शुद्धं संयमचरणं यतिधर्म निष्फलं वक्ष्ये।। २७।।
શ્રાવકધરમરૂપ દેશસંયમચરણ ભાખ્યું એ રીતે; યતિધર્મ-આત્મક પૂર્ણ સંયમચરણ શુદ્ધ કહું હવે. ૨૭
અર્થ:- એવું એટલે આ પ્રકારે શ્રાવકધર્મસ્વરૂપ સંયમાચરણ તો કહ્યું. તે કેવું છે? સકલ અર્થાત્ કલા સહિત છે. એક દેશને કલા કહે છે. હવે યતિધર્મના ધર્મસ્વરૂપ સંયમાચરણ છે તેને કહીશ એવી આચાર્ય પ્રતિજ્ઞા કરી છે. યતિધર્મ કેવો છે? શુદ્ધ છે, નિર્દોષ છે, જેમાં પાપાચરણનો લેશ નથી. નિકલ અર્થાત્ કલાથી નિઃકાન્ત છે, સંપૂર્ણ છે. શ્રાવકધર્મની જેમ એકદેશ નથી. ર૭
હવે યતિધર્મની સામગ્રી કહે છે:
पंचेंदियसंवरणं पंच वया पंचविंसकिरियासु। पंच समिदि तय गुत्ती संजमचरणं णिरायारं।। २८ ।। पंचेंद्रियसंवरणं पंच व्रता: पंचविंशतिक्रियासु। पंच समितयः तिस्रः गुप्तयः संयमचरणं निरागारम्।।२८।।
પંચેન્દ્રિસંવ૨, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ છે, વળી પાંચ સમિતિ, ત્રિગુપ્તિ-અણ-આગાર સંયમચરણ છે. ૨૮
અર્થ:- પાંચ ઇન્દ્રિયોનો સંવર, પાંચ વ્રત કે તે પચ્ચીસ ક્રિયાનો સદ્ભાવ થતાં થાય છે, તથા સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ રીતે નિરાગાર સંયમાચરણ ચારિત્ર હોય છે. ૨૮
હવે પાંચ ઇન્દ્રિયોના સંવરનું સ્વરૂપ કહે છે
अमणुण्णे य मणुण्णे सजीवदव्वे अजीवदव्वे य। ण करेदि रायदोसे पंचेंदियसंवरो भणिओ।। २९ ।।
अमनोज्ञे च मनोज्ञे सजीवद्रव्ये अजीवद्रव्ये च। न करोति रागद्वेषौ पंचेन्द्रियसंवरः भणितः।। २९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com