________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
સુમનોજ્ઞ ને અમનોશ જીવ-અજીતદ્રવ્યોને વિષે
કરવા ન રાગવિરોધ તે પંચેન્દ્રિયંવર ઉક્ત છે. ૨૯. અર્થ:- અમનોજ્ઞ તથા મનોજ્ઞ એવા પદાર્થમાં જેને લોકો પોતાના માને એવા સજીવ દ્રવ્યો-સ્ત્રી પુત્રાદિક અને અજીવ દ્રવ્યો-ધન ધાન્ય આદિ સર્વે પુદ્ગલ દ્રવ્યો આદિમાં રાગદ્વેષ ન કરે તેને પાંચ ઇન્દ્રિયોનો સંવર કહ્યો છે.
ભાવાર્થ- ઇન્દ્રિયગોચર સજીવ-અજીવ દ્રવ્ય છે. તે ઇન્દ્રિયોના ગ્રહણમાં આવે છે. તેમાં આ પ્રાણી કોઈને ઈષ્ટ માની રાગ કરે છે અને કોઈને અનિષ્ટ માની દ્રષ કરે છે. આવા રાગદ્વેષ મુનિ કરતા નથી. તેમને સંયમાચરણ ચારિત્ર હોય છે. ૨૯ હવે પાંચ વ્રતોનું સ્વરૂપ કહે છે:
हिंसाविरई अहिंसा असच्चविरई अदत्तविरई य। तुरियं अबभविरई पंचम संगम्मि विरई य।।३०।। हिंसाविरतिरहिंसा असत्यविरतिः अदत्तविरतिश्व।
तुर्यं अब्रह्मविरतिः पंचम संगे विरतिः च।। ३०।। હિંસાવિરામ, અસત્ય તેમ અદાથી વિરમણ અને
અબ્રહ્મવિરમણ, સંગવિરમણ - છે મહાવ્રત પાંચ એ. ૩૦ અર્થ - પ્રથમ તો હિંસાથી વિરતિ અહિંસા છે, બીજું અસત્યવિરતિ છે, ત્રીજું અદત્તવિરતિ છે, ચોથું અબ્રહ્મવિરતિ છે, અને પાંચમું પરિગ્રહ વિરતિ છે.
ભાવાર્થ:- આ પાંચે પાપોનો સર્વથા ત્યાગ જે હોય છે તે પાંચ મહાવ્રત છે. ૩) હવે તેને મહાવ્રત કેમ કહે છે તે કહે છે:
साहति जं महल्ला आयरियं जं महल्लपुव्वेहिं। जं च महल्लाणि तदो महव्वया इत्तहे याइं।।३१।। साधयंति यन्महांत: आचरितं यत् महत्पूर्वैः। यच्च महन्ति ततः महाव्रतानि एतस्माद्धेतोः तानि।।३१।। મોટા પુરુષ સાથે, પૂરવ મોટા જનોએ આચર્યા, સ્વયમેવ વળી મોટાં જ છે, તેથી મહાવ્રત તે કર્યા. ૩૧
૧ રાગવિરોધ = રાગદ્વેષ. ૨ ‘મળયા ડુત્તેયારું' ની જગ્યાએ ‘મવિયાડું તારું ' જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com