________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૩
આ કારણે તે આત્મની ત્રિવિધ તમે શ્રદ્ધા કરો, તે આત્માને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૧૬
અર્થ - પહેલાં કહ્યું કે જે આત્માને ઈષ્ટ માનતો નથી તેને સિદ્ધિ નથી. આ જ કારણથી હે ભવ્ય જીવો! તમે તે આત્માની શ્રદ્ધા-શ્રદ્ધાન કરો, મન-વચન-કાયાથી સ્વરૂપમાં રુચિ કરો, આ કારણથી મોક્ષ પામો અને જેનાથી મોક્ષ પામીએ તેને પ્રયત્નો દ્વારા સર્વ પ્રકારના ઉધમ કરી જાણો (ભાવપાહુડ ગાથા ૮૭માં પણ આ વાત છે.)
ભાવાર્થ- જેનાથી મોક્ષ પામીએ તેને જ જાણવાનો, તેનું જ શ્રદ્ધાન કરવાનો આ મુખ્ય ઉપદેશ છે. અન્ય આંડબરનું શું પ્રયોજન છે? આ પ્રકારે જાણવું. ૧૬
હવે જે જિનસૂત્રને જાણવાવાળા મુનિ છે તેમનું સ્વરૂપ ફરી દઢ કરવા કહે છે:
वालग्गकोडिमेत्तं परिगहगहणं ण होइ साहूणं। भुंजेइ पाणिपत्ते दिण्णण्णं इक्कठाणम्म्।ि ।१७।।
बालाग्रकोटिमात्रं परिग्रहग्रहणं न भवति साधूनाम्। भुंजीत पाणिपात्रे दत्तमन्येन एकस्थाने।।१७।।
રે! હોય નહિ બાલાઝની અણીમાત્ર પરિગ્રહ સાધુને; કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭
અર્થ:- વાળના અગ્રભાગની કણી અર્થાત અણુ માત્ર પણ પરિગ્રહનું ગ્રહણ સાધુને હોતું નથી. અહીં આશંકા છે કે જો પરિગ્રહ કંઈપણ નથી તો આહાર કેવી રીતે કરે છે? તેનું સમાધાન: આહીર કરે છે તે માણિપાત્રમાં કરે છે, તે પણ અન્યનું દીધેલું 'પ્રાસુક અન્ને માત્ર છે. તે પણ એકજ સ્થાને લે છે, વારંવાર લેતા નથી અને જુદા જુદા સ્થાનમાં લેતા નથી.
ભાવાર્થ- જે મુનિ આહાર પણ બીજાનો આપેલો, પ્રાસુક, યોગ્ય અન્નમાત્ર, નિર્દોષ, દિવસમાં માત્ર એકવાર, પોતાના હાથમાં લે છે તો અન્ય પરિગ્રહ શા માટે ગ્રહણ કરે ? અર્થાત્ ગ્રહણ કરે નહિ. જિનસૂત્રમાં આ પ્રકારના મુનિ કહ્યા છે. ૧૭
હવે કહે છે કે અલ્પ પરિગ્રહુ ગ્રહણ કરે તેમાં શું દોષ છે? તેના દોષ બતાવે છે:
૧ બાલાગ્ર=વાળની ટોચ. ૨ પ્રાસુક અન્ન= પોતાના માટે તૈયાર કરેલ આહાર સાધુને ખપે નહિ. પ્રાસુક આહાર =સાધુને માટે રાંધેલ આહાર ન હોય તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com