________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ )
૬૦
तच्चैव गुणविशुद्धं जिनसम्यक्त्वं सुमोक्षस्थानाय। तत् चरति ज्ञानयुक्तं प्रथमं सम्यक्त्व चरणचारित्रम्।।८।।
તે અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યકત્વને-”શિવહેતુને
આચરવું જ્ઞાન સમેત, તે સમ્યકત્વચરણ ચરિત્ર છે. ૮
અર્થ:- તે જિનસમ્યકત્વ અર્થાત અરિહંત જિનદેવની શ્રદ્ધા નિઃશંકિત આદિ આઠ ગુણોથી વિશુદ્ધ હોય, તથા તેના યથાર્થ જ્ઞાન સહિત આચરણ કરે તે પ્રથમ સમ્યકત્વાચરણ ચારિત્ર છે. તે મોક્ષસ્થાન માટે હોય છે.
ભાવાર્થ- સર્વજ્ઞ ભાષિત તત્ત્વાર્થની નિઃશંકિત આદિ ગુણ સહિત ને પચ્ચીસ મળદોષ રહિત, શ્રદ્ધા જે જ્ઞાનવાન કરે છે તેને સમ્યકત્વાચરણ ચારિત્ર હોય છે. આ મોક્ષની પ્રાપ્તિને માટે હોય છે. કેમકે મોક્ષમાર્ગમાં પહેલાં સમ્યગ્દર્શન કર્યું છે. માટે મોક્ષમાર્ગમાં મુખ્ય આ જ છે.૮૮
હવે કહે છે કે જે આ રીતે સમ્યકત્વાચરણ ચારિત્રને અંગીકાર કરી સંયમાચરણ ચારિત્રને અંગીકાર કરે તો શીઘ્ર જ નિર્વાણને પ્રાપ્ત કરે છે:
सम्मतचरणसुद्धा संजम चरणस्स जइ व सुपसिद्धा। णाणी अमूढदिट्ठी अचिरे पावंति णिव्वाणं ।।९।।
सम्यक्त्वचरणविशुद्धाः संयमचरणस्य यदि वा सुप्रसिद्धाः। ज्ञानिनः अमूढदृष्टयः अचिरं प्राप्नुवंति निर्वाणम् ।।९।। સમ્યકત્વચરણવિશુદ્ધને નિષ્પન્નસંયમચરણ જે; નિર્વાણને અચિરે વરે અવિમૂઢ દૃષ્ટિ જ્ઞાનીઓ. ૯
અર્થ:- જે જ્ઞાની હોઈને અમૂઢદષ્ટિ થઈને સમ્યકત્વચરણ ચારિત્રથી શુદ્ધ થાય છે અને જો સંયમાચરણ ચારિત્રથી સમ્યક પ્રકારે શુદ્ધ થાય તો શીધ્ર જ નિર્વાણ પામે છે.
ભાવાર્થ:- જે પદાર્થોના યથાર્થ જ્ઞાનથી મૂઢ દૃષ્ટિ રહિત વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ થઈ સમ્મચારિત્રસ્વરૂપ સંયમનું આચરણ કરે તો શીઘ્ર જ મોક્ષ પામે. સંયમ અંગીકાર કર્યા પછી સ્વરૂપના સાધનરૂપ એકાગ્રતા સહિત ધર્મધ્યાનના બળથી સાતિશય અપ્રમત્ત ગુણસ્થાનરૂપ થઈ શ્રેણી ચઢી, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, અઘાતિ કર્મનો નાશ કરી, મોક્ષ પ્રાપ્ત કરે છે. આ સમ્યકત્વાચરણ ચારિત્રનું જ માહાભ્ય છે. ૯
૧ અષ્ટગુણસુવિશુદ્ધ = આઠગુણોથી નિર્મળ. ૨ શિવહેતુ = મોક્ષનું કારણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com