________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે કહે છે કે જો આવાં કારણો સહિત હોય તો સમ્યકત્વને છોડે છે:
उच्छाहभावणासंपसंससेवा कुदंसणे सद्धा। अण्णाणमोहमग्गे कुव्वंतो जहदि जिणसम्मं ।।१३।। उत्साह भावना शंप्रशंसासेवा कुदर्शने श्रद्धा। अज्ञानमोहमार्गे कुर्वन् जहाति जिनसम्यक्त्वम्।।१३।।
અજ્ઞાનમોહ૫થે કુમતમાં ભાવના, ઉત્સાહ ને, શ્રદ્ધા, સ્તવન, સેવા કરે છે, તે તજે સમ્યકત્વને. ૧૩
અર્થ:- કુદર્શન અર્થાત્ નૈયાયિક, વૈશેષિક, સાંખ્યમત, મીમાંસકમત, વેદાંતમત, બૌદ્ધમત, ચાર્વાકમત, શૂન્યવાદનામાંમત, તેમના વેશ અને તેમણે કહેલાં પદાર્થ તથા શ્વેતામ્બરાદિક જૈનાભાસતે બધામાં શ્રદ્ધા, ઉત્સાહ, ભાવના, પ્રશંસા અને તેની ઉપાસના તથા સેવા જે પુરુષ કરે છે તે જિનમતની શ્રદ્ધારૂપ સમ્યકત્વને છોડ છે. તે કુદર્શન, અજ્ઞાન અને મિથ્યાત્વનો માર્ગ
ભાવાર્થ- અનાદિ કાળથી મિથ્યાત્વકર્મના ઉદયથી આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે. તેને કોઈ ભાગ્યના ઉદયથી જિનમાર્ગની શ્રદ્ધા થઈ હોય અને મિથ્યામતના પ્રસંગથી મિથ્યામતમાં કોઈ કારણથી ઉત્સાહ, ભાવના, પ્રશંસા, સેવા, શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય તો સમ્યકત્વનો અભાવ થઈ જાય; કેમકે જિનમત સિવાય અન્ય મતોમાં છદ્મસ્થ અજ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત મિથ્યા પદાર્થ તથા મિથ્યા પ્રવૃત્તિરૂપ માર્ગ છે, તેની શ્રદ્ધા થાય ત્યારે જિનમતની શ્રદ્ધા જતી રહે. માટે મિથ્યાષ્ટિઓનો સંસર્ગ જ કરવો નહિ. આ પ્રકારે ભાવાર્થ જાણવો. ૧૩
હવે કહે છે કે જે આ જ ઉત્સાહ, ભાવનાદિક કહ્યા તે સુદર્શનમાં હોય તો તે જિનમતની શ્રદ્ધારૂપ સમ્યકત્વને છોડતો નથી:
उच्छाहभावणासंपसंससेवा सुदंसणे सद्धा। ण जहदि जिणसम्मत्तं कुव्वंतो णाणमग्गेण।। १४ ।।
उत्साहभावना शंप्रशंससेवाः सुदर्शने श्रद्धां। न जहाति जिनसम्यक्त्वं कुर्वन् ज्ञानमार्गेण।। १४ ।। સદર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડે ન જિનસમ્યકત્વને. ૧૪
અર્થ:- સુદર્શન અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ સમ્યમાર્ગ તેમાં ઉત્સાહભાવના અર્થાત્ ગ્રહણ કરવાનો ઉત્સાહ કરી વારંવાર ચિત્ત્વનરૂપ ભાવ અને પ્રશંસા અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com