________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
ભાવાર્થ:- જાણે તે તો જ્ઞાન અને દેખે-શ્રદ્ધાન થાય તે દર્શન તથા બન્ને એકરૂપ થઈને સ્થિર થાય તે ચારિત્ર છે. ૩
હવે કહે છે કે જીવના જે ત્રણ ભાવ છે તેની શુદ્ધતા માટે ચારિત્રના બે પ્રકાર કહ્યા
एए तिण्णि वि भावा हवंति जीवस्स अक्खयामेया। तिण्हं पि सोहणत्थे जिणभणियं दुविह चारित्तं।। ४ ।।
एते त्रयोऽपि भावाः भवंति जीवस्य अक्षयाः अमेयाः। त्रयाणामपि शोधनार्थं जिनभणितं द्विविधं चारित्रं ।। ४।।
આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે; એ ભાવત્રયની શુદ્ધિ અર્થે દ્વિવિધ ચરણ ચિનોક્ત છે. ૪
અર્થ - જે જ્ઞાન આદિ ત્રણ જીવના ભાવ કહ્યા એ અક્ષય અને અનંત છે. તેમની શુદ્ધિ માટે જિનદેવે બે પ્રકારનું ચારિત્ર કહ્યું છે.
ભાવાર્થ:- જાણવું, દેખવું અને આચરણ કરવું એ ત્રણ જીવના ભાવ અક્ષય અનંત છે. અક્ષય અર્થાત્ જેનો નાશ નથી, અમેય અર્થાત્ અનંત જેનો પાર નથી. બધા લોકાલોકને જાણવાવાળું જ્ઞાન છે, આ પ્રકારે જ દર્શન છે; આ પ્રકારે જ ચારિત્ર છે. છતાં પણ ધાતિકર્મના નિમિત્તથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અશુદ્ધ છે. માટે જિનદેવે તેમને શુદ્ધ કરવા માટે ચારિત્ર (આચરણ) બે પ્રકારે કહ્યું છે. ૪
હવે બે પ્રકારનું ચારિત્ર કહ્યું છે તે કહે છે:
जिणणाणदिट्ठिसुद्धं पढमं सम्मत्त चरण चारित्तं। विदियं संजमचरणं जिणणाणसदेसियं तं पि।। ५।।
जिनज्ञानदृष्टिशुद्धं प्रथमं सम्यक्त्व चरण चारित्रम्। द्वितीयं संयमचरणं जिनज्ञानसंदेशितं तदपि।। ५।।
સમ્યકત્વચરણ છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજું ચરિત સંયમચરણ, જિનશાનભાષિત તેય છે. ૫
અર્થ:- પ્રથમ તો સમ્યકત્વના આચરણસ્વરૂપ ચારિત્ર છે, તે જિનદેવના જ્ઞાન
૨ અમેય = અમાપ. સમાયોગ = સંયોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com