________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
પટ શુદ્ધિમાત્ર સમુદ્રજલવત્ ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે, ઇચ્છા નિવર્તી જેમને, દુઃખ સૌ નિવર્યા તેમને. ૨૭
અર્થ - જે મુનિ ગ્રાહ્ય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ-આહાર આદિકથી તો અલ્પગ્રાહ્ય છે, થોડો ગ્રહણ કરે છે, જેમ કોઈ પુરુષ ઘણા પાણીથી ભરેલા સમુદ્રમાંથી પોતાનું વસ્ત્ર ધોવા માટે, વસ્ત્ર ધોવા પૂરતું થોડું પાણી લે છે તેમ. જે મુનિઓની ઇચ્છા નિવૃત્ત થઈ ગઈ હોય છે. તેમના બધા દુ:ખ નિવૃત્ત થઈ ગયા છે.
ભાવાર્થ- જગતમાં આ વાત પ્રસિદ્ધ છે કે જેમને સંતોષ છે તે સુખી છે. આ ન્યાયથી આ પણ સિદ્ધ થયું કે જે મુનિઓને ઇચ્છાની નિવૃત્તિ થઈ ગઈ છે, તેમને સંસારના વિષયસંબંધી ઇચ્છા કિંચિત્માત્ર પણ નથી, દેહથી પણ વિરક્ત છે; માટે પરમ સંતોષી છે અને આહાર આદિ કંઈ ગ્રહણ યોગ્ય છે તેમાંથી પણ થોડું જ ગ્રહણ કરે છે. તેથી તેઓ પરમ સંતોષી છે, તેઓ પરમ સુખી છે. આ જિનસૂત્રની શ્રદ્ધાનું ફળ છે. અન્ય સૂત્રમાં યથાર્થ નિવૃત્તિનું પ્રરૂપણ નથી એટલે કલ્યાણના સુખની ઇચ્છાવાળાને જિનસૂત્ર નિરંતર સેવન કરવા યોગ્ય છે. ૨૭
આ રીતે સૂત્રપાહુડ પૂર્ણ કર્યું.
છપ્પય જિનવરકી ધ્વનિ મેઘધ્વનિસમ મુખમૈં ગરજે, ગણધરકે શ્રુતિ ભૂમિ વરષિ અક્ષર પદ સરજૈ; સકલ તત્ત્વપ૨કાસ કરે જગતાપ નિવારે,
હેય અહેય વિધાન લોક નીકે મન ધારે વિધિ પુણ્યપાપ અરૂ લોકકી મુનિ શ્રાવક આચરન ફુનિા કરિ સ્વ-પર ભેદ નિર્ણય સકલ કર્મ નાશિ શિવ લહત મુનિના ૧ાા
દોહા વર્તમાન જિનકે વચન વરતેં પંચમકાલા ભવ્ય પાય શિવમગ લહૈ નમું તાસ ગુણમાલ ના ૨ાા
શ્રી કુન્દકુન્દ સ્વામી વિરચિત સૂત્રપાહુડની પંડિત જયચંદજી છાબડા કૃત
દેશભાષા વચનિકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com