________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૧
ભાવાર્થ:- જે મોટી શક્તિના ધારક સાધુ છે તે પરિષહ સહે છે. પરિષહ આવતાં પોતાના પદથી વ્યુત થતા નથી તેમને કર્મોની નિર્જરા થાય છે. તે વંદન કરવા યોગ્ય છે.
હવે કહે છે કે જે દિગમ્બર મુદ્રા સિવાય કોઈ વસ્ત્ર ધારણ કરે, સમ્યગ્દર્શનજ્ઞાનથી યુક્ત હોય તે ઈચ્છાકાર કરવા યોગ્ય છે –
अबसेसा जे लिंगी दसणणाणेण सम्म संजुत्ता। चेलेण य परिगहिया ते भणिया इच्छणिज्जा य।।१३।।
अवशेषा ये लिंगिनः दर्शनज्ञानेन सम्यक् संयुक्ता। चेलेन च परिगृहीताः ते भणिता इच्छाकारे योग्यः।।१३।।
"અવશેષ લિંગી જેહ સમ્યક જ્ઞાન-દર્શનયુક્ત છે, ને વસ્ત્ર ધારે જેહ, તે છે યોગ્ય ઈચ્છાકારને. ૧૩
અર્થ:- દિગમ્બર મુદ્રા સિવાય જે અવશેષ લિંગ-વેષ સંયુક્ત હોય અને સમ્યકત્વ સહિત દર્શન-જ્ઞાનયુક્ત છે તથા વસ્ત્રથી પરિગ્રહીત છે –વસ્ત્ર ધારણ કરે છે–તે ઈચ્છાકાર કરવા યોગ્ય છે.
ભાવાર્થ- જે સમ્યગ્દર્શન-શાન સહિત છે અને ઉત્કૃષ્ટ શ્રાવકનો વેષ ધારણ કરે છે; એક વસ્ત્ર માત્ર પરિગ્રહ રાખે છે તે ઈચ્છાકાર કરવા યોગ્ય છે. માટે “ઇચ્છામિ' આ પ્રકારે કહે છે આનો અર્થ એ છે કે- હું આપને ઈચ્છું છું, ચાહું છું એવો “ઈચ્છામિ ” શબ્દનો અર્થ છે. આ પ્રકારથી ઈચ્છાકાર કરવાનું જિનસૂત્રમાં કહ્યું છે.
હવે ઈચ્છાકાર યોગ્ય શ્રાવકનું સ્વરૂપ કહે છે:
इच्छायारमहत्थं सुत्तठिओ जो हु छंडए कम्म। ठाणे ट्ठियसम्मत्तं परलोयसुहंकरो होदि।।१४।।
इच्छाकारमहार्थं सूत्रस्थितः यः स्फुटं त्यजति कर्म। स्थाने स्थित्तसम्यक्त्वः परलोक सुखंकरः भवति।।१४।। *સૂત્રસ્થ સમ્યગ્દષ્ટિયુત જે જીવ છોડે કર્મને, ઈચ્છામિ ” યોગ્ય પદસ્થ તે પરલોકગત સુખને લહે. ૧૪
૧. અવશેષ=બાકીના (અર્થાત્ મુનિ સિવાયના). ૨ સૂત્રસ્થ= શાસ્ત્રોનો જાણનાર અને યથાશક્તિ તદનુસાર વર્તનાર. ૩ “ઈચ્છામિ યોગ્ય=ઈચ્છાકારને યોગ્ય ૪ પદસ્થ= પ્રતિમાધારી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com