________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
(અષ્ટપાહુડ
પ્રરૂપણ છે. તથા સ્થવિર કલ્પી મુનિઓની પ્રવૃત્તિનું વર્ણન છે. ૧૨) બારમું પુંડરીક નામનું પ્રકીર્ણક છે. તેમાં ચાર પ્રકારના દેવોમાં ઉત્પન્ન થવાના કારણોનું વર્ણન છે. ૧૩) તેરમું મહાપુંડરીક નામનું પ્રકીર્ણક છે. તેમાં ઈન્દ્રાદિક મોટી ઋદ્ધિના ધારક દેવોમાં ઉત્પન્ન થવાના કારણોનું પ્રરૂપણ છે. ૧૪) ચૌદમું નિષિદ્ધિકા નામનું પ્રકીર્ણક છે. તેમાં અનેક પ્રકારના દોષોની શુદ્ધતાના નિમિત્તે પ્રાયશ્ચિતોનું પ્રરૂપણ છે. આ પ્રાયશ્ચિતશાસ્ત્ર છે. આનું નામ નિસિતિકા પણ છે. આ પ્રમાણે અંગબાહ્યશ્રત ચૌદ પ્રકારના છે.
પૂર્વોની ઉત્પત્તિ પર્યાયસમાસ જ્ઞાનથી માંડીને પૂર્વજ્ઞાન પર્યત વીસ ભેદ છે. તેનું વિશેષ વર્ણન-શ્રુત જ્ઞાનનું વર્ણન-ગોમ્મદસાર નામના ગ્રંથમાં વિસ્તારપૂર્વક છે ત્યાંથી જાણવું. ૨ હવે કહે છે કે જે સૂત્રમાં પ્રવીણ છે તે સંસારનો નાશ કરે છેઃ
'सुत्तं हि जाणमाणो भवस्स भवणासणं च सो कुणदि। सूइ जहा असुत्ता णासदि सुत्ते सहा णो वि।।३।। सूत्रे ज्ञायमानः भवस्य भवनाशनं च सः करोति। सूची यथा असूत्रा नश्यति सूत्रेण सह नापि।।३।। *સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને, ખોવાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે. ૩
અર્થ:- જે પુરુષ સૂત્રને જાણવાવાળો છે, પ્રવીણ છે તે સંસારમાં જન્મ લેવાનો નાશ કરે છે. જેમ લોઢાની સોય દોરા વિનાની હોય તો ખોવાઈ જાય છે અને દોરો પરોવાયેલી હોય તો ખોવાઈ જતી નથી. આ દષ્ટાંત છે.
ભાવાર્થ- સૂત્રના જ્ઞાતા હોય તે સંસારનો નાશ કરે છે. જેમ સોય દોરા સાથે હોય તો દૃષ્ટિગોચર થઈ મળી જાય, ક્યારેય ખોવાઈ જાય નહિ અને દોરા વિનાની સોય હોય તો દેખાય નહિ અને ખોવાઈ જાય. આ પ્રકારે જાણવું. ૩ હવે સોયનાં દષ્ટાંતનું દષ્ટાંત કહે છે
पुरिसो वि जो ससुत्तो ण विणासइ सो गओ वि संसारे। सच्चेदण पच्चक्खं णासदि तं सो अदिस्समाणो वि।।४।। पुरुषोऽपि यः ससूत्रः न विनश्यति स गतोऽपि संसारे। सच्चेतनप्रत्यक्षेण नाशयति तं स: अदृश्यमानोऽपि।।४।।
૧. સુત્તાિ ૨ સૂત્રદિ પાઠાન્તર પાહુડ ૨. સૂત્રજ્ઞ શાસ્ત્રનો જાણનાર. ૩. અસૂત્ર = દોરા વિનાની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com