________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૯
(નોંધઃ- એક ગુણનો બીજા આનુષંગિક (સહવર્તી) ગુણ દ્વારા નિર્ણય કરવો તે વ્યવહાર છે. તેનું નામ વ્યવહારી જીવને વ્યવહારનું શરણ છે.) ર૬
હવે આ જ અર્થને દઢ કરતાં કહે છે:
ण वि देहो वंदिज्जइ ण वि य कुलो ण विय जाइसंजुत्तो। को वंदमि गुणहीणो ण हु सवणो णेव सावओ होइ।।२७।।
नापि देहो वंद्यते नापि च कुलं नापि च जातिसंयुक्तः। 'कः वंद्यते गुणहीनः न खलु श्रमण: नैव श्रावकः भवति।।२७।।
નહિ દેહ વંદ્ય ન બંધ કુલ, નહિ બંધ જન જાતિ થકી; ગુણહીન કયમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ૨૭
અર્થ:- દેહને પણ વંદતા નથી, કુળને પણ વંદતા નથી તથા જાતિને પણ વંદતા નથી, કેમકે ગુણ રહિત હોય તેને કોણ વદે ? ગુણ વિના પ્રકટ મુનિ નથી, શ્રાવક પણ નથી.
ભાવાર્થ- લોકમાં પણ એવો જાય છે કે જે ગુણહીન હોય છે તેને કોઈ શ્રેષ્ઠ માનતું નથી. દેહ સ્વરૂપમાન હોય તો પણ શું? કુળ ઊંચું હોય તો યે શું? જાતિ ઊંચી હોય તો યે શું? કેમકે મોક્ષમાર્ગમાં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ છે, એમના વિના જાતિ, કુળ, રૂપ વગેરે વંદનીય નથી. એમનાથી મુનિ કે શ્રાવકપણું આવતું નથી. મુનિ-શ્રાવકપણું તો સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રથી હોય છે. એટલે એને ધારણ કરનાર છે તે જ વંદન યોગ્ય છે, જાતિ, કુળ આદિ વંદન યોગ્ય નથી. ૨૭
હવે કહે છે કે જે તપ આદિથી યુક્ત છે તેમને નમસ્કાર કરું છું –
वंदमितवसावण्णा सीलं च गुणं च बंभचेरं च। सिद्धिगमणं च तेसिं सम्मत्तेण' सुद्धभावेण।। २८ ।।
वन्दे तपः श्रमणान् शीलं च गुणं च ब्रह्मचर्यं च। सिद्धिगमनं च तेषां सम्यक्त्वेन शुद्धभावेन।। २८।।
સમ્યકત્વસંયુત શુદ્ધ ભાવે વંદું છું મુનિરાજને, તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા ‘શિવગમનને. ૨૮
૧ ‘મ વધે ગુણહીનમ’ પર્ પાહુડમાં પાઠ છે. ૨ ‘તવ સમUT' છાયા-(તપ: સમાપન્નાત) ‘તવર્સ૩UM[ તવસમા ' આ ત્રણ પાઠ મુદ્રિત ‘ષ પ્રામૃત' પુસ્તક તથા તેની ટિપ્પણીમાં છે. ૩ ‘સમજોન' એવો પાઠ હોવાથી પદ ભંગ થતો નથી. ૪ શિવગમન = મોક્ષપ્રાતિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com