________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૩૯
છે. (૬) છઠું જ્ઞાતૃધર્મકથા નામનું અંગ છે. તેમાં તીર્થકરોની ધર્મકથા, જીવાદિક પદાર્થોના સ્વભાવનું વર્ણન તથા ગણધરના પ્રશ્નોના ઉત્તરનું વર્ણન છે. તેનાં પદ પાંચલાખ છપ્પનહજાર છે. (૭) સાતમું ઉપાસકાધ્યયન નામનું અંગ છે. તેમાં અગિયારપડિયા (પ્રતિમા ) આદિ શ્રાયકના આચારનું વર્ણન છે. તેનાં પદ અગિયાર લાખ સત્તરહજાર છે. (૮) આઠમું અન્તકૃતદશાંગ નામનું અંગ છે. તેમાં એક-એક તીર્થકરના કાળમાં દસ-દસ અત્તકૃત કેવળી થયા તેમનું વર્ણન છે. તેના પદ ત્રેવીસ લાખ અઠ્ઠાવીસ હજાર છે. (૯) નવમું અનુત્તરોપપાદક નામનું અંગ છે. તેમાં એક-એક તીર્થકરના કાળમાં દસ-દસ મહામુનિ ઘોર ઉપસર્ગ સહીને અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા તેમનું વર્ણન છે. તેનાં પદ બાણુલાખ ચુંમાલીસ હજાર છે. (૧૦) દસમું પ્રશ્નવ્યાકરણ નામનું અંગ છે. તેમાં અતિત-અનાગત (ભૂત અને ભવિષ્યકાળ) સમ્બન્ધી શુભ-અશુભનો કોઈ પ્રશ્ન કરે તેના યથાર્થ ઉત્તર કહેવાના ઉપાયનું વર્ણન છે. તથા આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની આ ચાર કથાઓનું પણ આ અંગમાં વર્ણન છે. તેનાં પદ ત્રાણુ લાખ સોળહજાર છે. (૧૧) અગિયારમું વિપાકસૂત્ર નામનું અંગ છે. તેમાં કર્મના ઉદયનાં તીવ્ર-મંદ અનુભાગનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા સહિત વર્ણન છે. તેમનાં પદોની સંખ્યાને જોહીદવાથી ચાર કરોડ પંદર લાખ બે હજાર પદ થાય છે. (૧૨) બારમું દષ્ટિવાદ નામનું અંગ છે, તેમાં મિથ્યાદર્શન સંબંધી ત્રણસો ત્રેસઠ કુવાદોનું વર્ણન છે. તેનાં પદ
બાઠ કરોડ અડસઠ લાખ છપ્પનહજાર પાંચ છે. આ બારમા અંગનાં પાંચ અધિકાર છે. (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પ્રથમાનુયોગ, (૪) પૂર્વગત, (૫) ચૂલિકા. પરિકર્મમાં ગણિતના કરણસૂત્ર છે. એના પાંચ ભેદ છે. (૧) પ્રથમ ચંદ્રપ્રજ્ઞપ્તિ છે, તેમાં ચન્દ્રમાના ગમનાદિક, પરિવાર, વૃદ્ધિ-હાનિ, ગ્રહ આદિનું વર્ણન છે, તેનાં પદ છત્રીસ લાખ પાંચ હજાર છે. (૨) બીજું સૂર્યપ્રજ્ઞયિ છે. તેમાં સૂર્યની ઋદ્ધિ, પરિવાર, ગમન આદિનું વર્ણન છે તેનાં પદ પાંચ લાખ ત્રણ હજાર છે. ૩) ત્રીજું જંબૂદ્વીપ પ્રજ્ઞતિ છે. તેમાં જમ્બુદ્વીપ સંબંધી મેરુગિરિ ક્ષેત્રે, કુલાચલ આદિનું વર્ણન છે. તેનાં પદ ત્રણ લાખ પચ્ચીસ હજાર છે. ૪) ચોથું દ્વીપ-સાગર પ્રજ્ઞતિ છે. તેમાં દ્વીપસાગરનું સ્વરૂપ તથા ત્યાં સ્થિત જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી દેવોના આવાસ તથા ત્યાં સ્થિત જિનમંદિરોનાં વર્ણન છે. તેનાં પદ બાવનલાખ છત્રીસ હજાર છે. ૫) પાંચમું વ્યાખ્યા પ્રજ્ઞાતિ છે. તેમાં જીવ, અજીવ પદાર્થોના પ્રમાણનું વર્ણન છે. તેનાં પદ ચોરાસી લાખ છત્રીસ હજાર છે. આ પ્રમાણે પરિકર્મના પાંચ ભેદોનાં પદ જોડવાથી એક કરોડ એકયાસી લાખ પાંચ હજાર થાય છે.
બારમાં અંગનો બીજો ભેદ સૂત્ર નામનો છે. તેમાં મિથ્યાદર્શન સમ્બન્ધી ત્રણસો ત્રેસઠ કુવાદોનો પૂર્વપક્ષ લઈને તેમને જીવ પદાર્થ પર લગાવવા આદિનું વર્ણન છે. તેનાં પદ અઠ્યાસી લાખ છે. બારમાં અંગનો ત્રીજો ભેદ પ્રથમાનુયોગ છે. તેમાં પ્રથમ જીવને ઉપદેશયોગ્ય તીર્થંકર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com