________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ).
-આચાર્ય પણ તેમના ગુણાનુવાદ કરે છે. તેથી તેઓ વંદન યોગ્ય છે. બીજા જે દર્શનાદિકથી ભ્રષ્ટ છે અને ગુણવાનોથી ઈર્ષાભાવ રાખીને વિનયરૂપ પ્રવર્તતા નથી તેઓ વંદન યોગ્ય નથી.૨૩
હવે કહે છે કે જે યથાજાતરૂપને જોઈને ઈર્ષાભાવથી વંદન કરતા નથી તેઓ મિથ્યાદષ્ટિ
જ
છે:
सहजुप्पण्णं रुवं दह्र जो मण्णए ण मच्छरिओ। सो संजमपडिवण्णो मिच्छादट्ठी हवइ एसो।। २४ ।। सहजोत्पन्नं रुपं दृष्ट्वा यः मन्यते न मत्सरी। સ:સંયમપ્રતિપન્ન: મિથ્યાદિ: મવતિ : ૨૪ ના
જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે,
સંયમ તણો ધા૨ક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. ૨૪ અર્થ:- જે સહજ ઉત્પન્ન યથાકાત રૂપને દેખીને માનતા નથી, તેમનો વિનય સત્કારપ્રીતિ કરતા નથી અને ઈર્ષાભાવ કરે છે તે સંયમપ્રતિપન્ન (સંયમ ધારણ કરેલ છે)-દીક્ષા ગ્રહણ કરી છે તો પણ પ્રત્યક્ષ મિથ્યાદષ્ટિ છે.
ભાવાર્થ- જે યથાજાતરૂપને જોઈને ઈર્ષાભાવથી તેનો વિનય કરતા નથી તેથી એમ માનવું પડે છે કે એમને આ રૂપની શ્રદ્ધા-રુચિ નથી. આવી શ્રદ્ધા રુચિ વિના તો મિથ્યાષ્ટિ જ હોય છે. અહીં આશય એમ છે કે-જે શ્વેતામ્બર આદિ થયા તેઓ દિગમ્બર રૂપ પ્રત્યે મત્સરભાવ રાખે છે અને તેમનો વિનય કરતા નથી તેમનો નિષેધ છે. ૨૪
આગળ આને જ દઢ કરે છે -
अमराण वंदियाणं रुवं दठूण सीलसहियांण। जे गारव करंति य सम्मत्तविवज्जिया होति।।२५।। अमरैः वंदितानां रुपं दृष्टवा शीलसहितानाम्। ये गौरवं कुर्वन्ति च सम्यक्त्त्वविवर्जिताः भवंति।।२५।। જે અમરવંદિત શીલયુત મુનિઓતણુ રૂપ જોઈને,
મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દષ્ટિવિહીન છે. ૨૫ અર્થ:- દેવોથી વંદવા યોગ્ય શીલ સહિત જિનેશ્વરદેવના યથાજાતરૂપ જોઈને જે અભિમાન કરે છે, વિનયાદિક કરતા નથી તેઓ સમ્યકત્વથી રહિત છે.
૧. સાહજિક = સ્વાભાવિક; નૈસર્ગિક; યથાજાત. ૨. મત્સર = ઈર્ષા, દ્વેષ; ગુમાન. ૩. અમરવંદિત = દેવોથી વંદિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com