________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૩૩
હવે કહે છે કે જે ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પામીને સમ્યકત્વની પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્ત કરે છે એ સમ્યકત્વનું માહાભ્ય છેઃ
लभ्रूण य मणुयत्तं सहियं तह उत्तमेण गोत्तेण। लखूण य सम्मतं अक्खयसोक्खं च लहदि मोक्खं च।। ३४ ।।
लब्ध्वा च मनुजत्त्वं सहितं तथा उत्तमेन गोत्रेण। लब्ध्वा च सम्यक्त्वं अक्षयसुखं च मोक्षं च।।३४।। રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વને જીવ પામીને, સંપ્રાપ્ત કરી સમ્યકત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪
અર્થ:- ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પ્રત્યક્ષ પ્રાપ્ત કરીને અને ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરી અવિનાશી સુખરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તથા તે સુખ સહિત મોક્ષ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- આ બધું સમ્યકત્વનું માહાભ્ય છે. ૩૪
હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે-જે સમ્યકત્વના પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત કરે છે તે તત્કાલ જ પ્રાપ્ત કરે છે કે કંઈક અવસ્થા-સ્થિરતા પણ રહે છે? તેના સમાધાનરૂપ ગાથા કહે છે:
विहरदि जाव जिणिंदो सहसट्ठ सुलक्खणेहिं संजुत्तो। चउतीस अइसयजुदो सा पडिमा थावरा भणिया।। ३५।।
विहरति यावत् जिनेन्द्र: सहस्राष्ट लक्षणैः संयुक्तः। चतुस्त्रिंशदतिशययुतः सा प्रतिमा स्थावरा भणिता।। ३५।।
ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ર લક્ષણધરપણે જિનચન્દ્ર વિહરે જ્યાં લગી, તે “બિંબ સ્થાવર ઉક્ત છે.
અર્થ - કેવળજ્ઞાન પામ્યા બાદ જિનેન્દ્ર ભગવાન જ્યાં સુધી આ લોકમાં આર્યખંડમાં વિહાર કરે છે ત્યાં સુધી તેમની તે પ્રતિમા અર્થાત્ શરીર સહિત પ્રતિબિમ્બ તેને “સ્થાવર પ્રતિમા” આ નામથી કહે છે. તે જિનેન્દ્ર કેવા છે? એક હજાર આઠ લક્ષણથી સંયુક્ત છે. ત્યાં શ્રીવૃક્ષને પ્રથમ ગણીને એકસો આઠ લક્ષણ હોય છે. તલ, મસને પ્રથમ લઈને નવસો વ્યંજન હોય છે. ચોત્રીસ અતિશયોમાં દસ તો જન્મથી જ લઈને ઉત્પન્ન થાય છે - ૧) નિઃસ્વેદતા, ૨) નિર્મળતા, ૩) જૈતરુધિરતા, ૪) સમચતુરગ્ન સંસ્થાન, ૫) વજવૃષભનારાચ
૧ ‘અવશ્વયોવવું તરીકે મોભવું ’ પાઠાન્તર. ૨ સંસ્કૂળ પાઠાન્તર કૃ. ૩ મનુષત્વ = મનુષ્ય ૪ અષ્ટ સહસ્ર = એક હજારને આઠ ૫ બિંબ = પ્રતિમા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com