________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૧૫
કાળની વિપુલતા બતાવી છે. તપ મનુષ્ય પર્યાયમાં જ હોય છે અને મનુષ્યકાળ પણ થોડો છે. તેથી તપના માટે આટલા વર્ષો પણ ઘણા કહ્યાં છે. ૫
-આમ પ્રથમ જણાવ્યા પ્રમાણે સમ્યકત્વ વિના ચારિત્ર, તપને નિષ્ફળ કહ્યું છે. હવે સમ્યકત્વ સહિત બધી પ્રવૃતિઓ સફળ છે એમ કહે છે -
सम्मत्तणाणदंसणबलवीरियवड्ढमाण जे सव्वे। कलिकलुसपावरहिया वरणाणी होंति अइरेण।।६।। सम्यक्त्वज्ञानदर्शनबलवीर्य वर्द्धमानाः ये सर्वे। कलिकलुषपापरहिताः वरज्ञानिनः भवंति अचिरेण।।६।। સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-બળ-વીર્ય અહો ! વધતા રહે, કલિમલરહિત જે જીવ, તે વ૨જ્ઞાનને અચિરે લહે. ૬
અર્થ:- જે પુરુષો સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, બળ, વીર્યથી વર્ધમાન છે તથા કલિકલુષપાપથી અર્થાત્ આ પંચમકાળના મલિન પાપથી રહિત છે તે બધા અલ્પકાળમાં વરજ્ઞાની અર્થાત્ કેવળજ્ઞાની થાય છે.
ભાવાર્થ:- આ પંચમ કાળમાં જડ-વક જીવોના નિમિત્તથી યથાર્થ માર્ગ અપભ્રંશ થયો છે. તેની વાસનાથી જે જીવો રહિત થયા છે તેઓ યથાર્થ જિનમાર્ગની શ્રદ્ધારૂપ સમ્યકત્વ સહિત જ્ઞાન-દર્શનના પોતાના બળને છુપાવ્યા વિના તથા પોતાના વીર્ય અર્થાત્ શક્તિથી વર્ધમાન થયા થકા પ્રવર્તે છે. તેઓ અલ્પ કાળમાં જ કેવળજ્ઞાની થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. ૬ હવે કહે છે કે-સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ આત્માને કર્મ રજ ચોંટવા દેતો નથી.
सम्मत्तसलिलपवहो णिच्चं हिया ए पयट्टए जस्स। कम्मं वालुयवरणं बंधुच्चिय णासए तस्स।।७।। सम्यक्त्वसलिलप्रवाहः नित्यं हृदये प्रवर्त्तते यस्य। कर्म वालुकावरणं बद्धमपि नश्यति तस्य।।७।। સમ્યકત્વનીર પ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે,
તસ બદ્ધકર્મો વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭ અર્થ - જે પુરુષોના હૃદયમાં સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ નિરન્તર પ્રવર્તમાન છે તેને કર્મરૂપી રજ-ધૂળનું આવરણ લાગતું નથી, તથા પૂર્વ કાળમાં જે કર્મબંધ થયો હોય છે તે પણ નાશ પામે છે.
ભાવાર્થ- સમ્યકત્વ સહિત પુરુષોને (નિરન્તર જ્ઞાન ચેતનાના સ્વામીત્વરૂપ પરિણમન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com