Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ११ માં આપણને ગીતાકારે (અ૦ ૧૬માં) બે ભૂતસર્ગ કે બે સંપદાઓ આલેખ્યાં છે, તે યાદ આવે. કથાનો મૂળ લેખક આનાતોલ ફાંસ એ બધા અનુષંગમાં ચર્ચા નથી કરતો; પરંતુ, યુરોપનાં દેશકાળમાં — તેના વાગા ધરીનેય,—મૂળ વસ્તુ તો તત્ત્વત: બે ભૂતસર્ગ કે સંપદાની—એક જ છે. આનાતોલ ફ્રાંસ ઈં૦ સ૦નાં આદિ સૈકાંનો સમય ચીતરે છે. આજેય આપણે અર્વાચીન જગતમાં (‘સમૃદ્ધ સમાજ’ના નામથી બોલાતો) આ પ્રકારનો નવો પ્લૅગન-વાદ, વિજ્ઞાન અને યંત્રના જોર વડે, પેદા થતો બતાવી શકીએ. < એક બીજી બાબત પણ આ કથા કહે છે; – જે પરથી કથાના આ ગુજરાતી સંપાદનમાં તેનું નામ પાડયું છે તપસ્યા અને નિગ્રહ.' આ અંગે પણ ગીતાકારે પેલું નિદાન ચૂકતે આપી મૂકયું છે - प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति । ( ३-33 ) [પ્રાણીમાત્ર પોતાના સ્વભાવને અનુસરે છે; ત્યાં બળાત્કાર કરવાથી શું વળે?] ભૂતમાત્ર પ્રકૃતિને વશ છે; જાત પર જવા વિના રહી ન શકે કાંઈ તેને રોકી ન શકે. અને આ કથા બતાવે છે કે, મહા ઉગ્ર તપ પણ તેને કાંઈ ન કરી શકે. તો તરણોપાય શો? કથા બહુ જ સુંદર રીતે (તેના એક વૃદ્ધ સાધુજન પૅલેમૉન દ્વારા) એ બતાવે છેસાદું સરળ ને સર્વસુલભ હ્રામ-પરાયણ યજ્ઞકર્મ અને પ્રભુભક્તિ, ગીતાકારના શબ્દોમાં કહીએ તો પરમદર્શન — विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । રસવર્ગ રસોવ્યસ્ય પર તૃષ્ણા નિવર્તતે ॥ (૨-૫૯) [દેહધારી જ્યારે નિરાહારી રહે છે, ત્યારે તેના વિષયો મોળા પડે છે, પણ રસ નથી જતો; તે રસ તો પરમ વસ્તુ કે પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમે છે.] આ થા ગીતાના આ સિદ્ધાંતનું સુંદર દૃષ્ટાંત ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194