________________
XIX
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
“મંગલમ્ ભગવાન વીરો મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો જૈનધર્મોડસ્તુ મંગલમ્.
ઝરતું મકરંદ...
શુદ્ધાત્મના રસાસ્વાદી, જ્ઞાનાનંદ વિભોરી, પરમાગમ નિધાન પ્રકાશી, પરમભાવની પ્રસાદી આપી, ૫૨મા૨થ પંથ ઉજાળી, ૫૨માનંદ પિયુષ વહાવી...
,,
મોક્ષમાર્ગના મહા૨થી એવા પૂ. કહાનલાલ જયવંત વર્તો.. જયવંત વર્તો. આચાર્ય કુંદકુંદદેવ દિગમ્બર જૈનધર્મના ચિર સ્થંભ થયા. તેઓશ્રી નિરંતર પરમાનંદ-નિત્યાનંદના ભોજી અને તત્ત્વાન્વેષણ કરનારા યોગીરાજ હતા. ભાવિ તીર્થંકર પદ્મપ્રભમલધારિદેવ દ્વારા પરમ પારિણામિકભાવનું આશીર્ઘાન મળ્યું. તેથી સમસ્ત જૈન જગત ઉપર અધ્યાત્મની લાલિમા છવાઈ ગઈ.
શુદ્ધાત્મ પ્રકાશક, દ્રવ્યદૃષ્ટિ પ્રદાતા શ્રી કહાનગુરુદેવ દ્વારા નિતાંત પરિશુદ્ધ ધ્રુવ ૫૨મભાવનું પ્રવર્ષણ થયું. આ વિશુદ્ધ પ્રબોધ ધારામાં ધ્યેય સ્વરૂપ ઉર્ધ્વ રહ્યું. આત્મધ્યાનની મંદમંદ શીતલ સમ્યક્ ધારા મુમુક્ષુની આત્મપ્રભાને ઉજ્વલિત કરતી રહી. આમ સમગ્ર દિગમ્બર સમાજ આત્મદર્શનની સૌખ્યતા ૫૨ મંત્રમુગ્ધ થયો.
કહાનલાલ ! આપશ્રીએ શુદ્ધ અંતઃતત્ત્વની અનુભૂતિ દ્વારા ઉલ્લસિત વીર્યપૂર્વક અખંડ પ૨માત્માને અખંડપણે દર્શાવી શુદ્ધભાવનું દિવ્ય દિગ્દર્શન કરી શુદ્ઘનયના પ્રવાહને અખંડિત રાખ્યો છે. સ્વસંવેદનમયી સ્વરોમાં અકથ્ય આત્મવૈભવની વર્ષા વરસાવી પંચમપદની પ્રાપ્તિને અર્થે પંચમભાવના પિયુષ પીવડાવ્યા છે. આત્મરસના રસિકો માટે આ પરમભાવની પ્રસાદી છે.
જિનાગમમાં અધ્યાત્મની ચર્ચા-વાર્તા-પ્રવચન આદિનું તાત્પર્ય એટલું જ છે કેજીવોને શુદ્ધાત્માની ઉપલબ્ધિ કેમ થાય. આ પ્રવચનોને પ્રત્યગ્દર્શી થઈને જોઈએ તો માત્ર શુદ્ધભાવનું દર્શન સર્વોદયપણે થયેલું છે. આ પ્રવચનો શુદ્ધભાવની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં મંગલ પ્રતિક બન્યા છે. કારણ કે–વીતરાગતાની મુખ્યતાએ શાસ્ત્ર તાત્પર્ય અને સૂત્ર તાત્પર્ય તે બન્નેની એકતા વર્તતી હોવાથી આ પ્રવચનો અધ્યાત્મની પરાકાષ્ટાને પાર કરી ગયા છે.
જે શુદ્ધાત્માના ચરણોને ચૂમી-ચૂમીને સાદિ અનંતકાળ સુધી પૂર્ણ પર્યાયોનો પ્રવાહ પ્રવાહિત થયા કરે તો પણ કાંઈ ઘટ નહીં, કોઈ અધૂરાશ નહીં.. તે અક્ષયકોષ કેવો હશે ? સાધક આત્માઓ જેમાં સ્થિર રહેવા નિરંતર ઉદ્યમી થયા છે તે સહજાનંદમયી તત્ત્વને વંદન કરવાનું કોને મન ન થાય ?
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk