________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ હતા તે પરિણામ અભેદની સન્મુખ થયા છે.. એ મારા જ્ઞાનમાં જણાય છે.. તેમ સાધક કહે છે. જે પરિણામ ભેદની સન્મુખ હતા ત્યારે તે પરિણામમાં મિથ્યાત્વ હતું. હવે તે પરિણામ ભેદથી પરાભુખ થયા છે, હું નહીં. ભેદનું લક્ષ કોણ છોડયું છે ? પરિણામે ભેદનું લક્ષ છોડયું છે.. અને પરિણામે અભેદનું લક્ષ કર્યું છે.. એવા જે પરિણામો છે તે પરિણામોથી પણ દૃષ્ટિ દૂર થઈ છે અર્થાત્ પરિણામોથી પરાભુખ છે. દૃષ્ટિ દૃષ્ટિના વિષયની સન્મુખ છે. દૃષ્ટિ એટલે પર્યાય-૫૨દ્રવ્ય અને તેનાથી દૃષ્ટિ વિમુખ છે. પ્રગટ થયેલી દૃષ્ટિ પરિણામ હોવાથી ૫૨દ્રવ્ય છે.
આહા.. હા ! એ સમ્યગ્દર્શનના જે પરિણામ થયા તે સમ્યગ્દર્શનની સન્મુખ નથી. જો તે પરિણામ સમ્યગ્દર્શનની સન્મુખ હોય તો સમ્યગ્દર્શન ન હોય. દાચિત્ સમ્યગ્દર્શનની સન્મુખ થાય તો સમ્યગ્દર્શન પડી જાય છે. સમ્યગ્દર્શન ત્યારે જ થાય છે કે જ્યારે તે પરિણામ અભેદની સન્મુખ થાય છે. અનાદિનો પ્રથમ ઉપશમ સમ્યગ્દષ્ટિ જો તે ભેદની સન્મુખ થઈ ગયો અને અભેદથી વિમુખ થયો તો તેને ઉપશમમાંથી મિથ્યાત્વ અવસ્થા પ્રગટ થાય છે.
અહીં કહે છે કે-આ પદ્રવ્યો અર્થાત્ ભેદો જે છે તે પરદ્રવ્યથી તો પરાભુખ છું. દેહાદિ જે પદ્રવ્યો છે તેને તો જગત પરદ્રવ્ય કહે છે પરંતુ સર્વજ્ઞ ભગવાન સંવર– નિર્જરાના પરિણામને પદ્રવ્ય કહે છે. એ પરદ્રવ્યથી હું પરાભુખ છું-વિમુખ છું. મારી દૃષ્ટિ એમાં લાગતી નથી. આ કોણ કહે છે ? વૈરાગ્યવંત સાધક આત્મા પોતાથી વાત કરે છે. મુનિરાજ ભાવલિંગી સંત પોતાથી વાત કરે છે. એ રીતે પંચમગુણસ્થાનવાળા કે ચોથાગુણસ્થાનવાળા દરેક સાધકની આ જ સ્થિતિ હોય છે. તેનાથી જુદી બીજી સ્થિતિ
હોતી નથી.
પરદ્રવ્યોથી એટલે પરિણામોથી અર્થાત્ સંવર–નિર્જરાના પરિણામથી એટલે જ્ઞાનધ્યાનના પરિણામ જે ઉત્પન્ન થયા તેમનાથી હું તો પરાભુખ છું. હું કયાં તેનાથી સન્મુખ થયો હતો કે મારે હવે પરાસ્મુખ થવું પડે ! હું એટલે જ્ઞાયકભાવ-સ્વભાવભાવ-જ્ઞાનથન આત્મા–ચિદાનંદઆત્મા- જે નિષ્ક્રિય અપરિણામી ધ્રુવ સામાન્ય તત્ત્વ છે તે કાંઈ ૫૨દ્રવ્યની સન્મુખ થયું નથી અને તેને પરદ્રવ્યથી વિમુખ થવાનું નથી. જે પરિણામ ભેદની સન્મુખ થતાં હતાં તે પરિણામ ભેદથી વિમુખ થયા.
વ્યવહાર બે પ્રકારે છે. (૧) પરાશ્રિત વ્યવહાર (૨) ભેદાશ્રિત વ્યવહાર. એ બે પ્રકારના વ્યવહારથી... અર્થાત્ વ્યવહારનયનો વિષય જે પદ્રવ્ય છે એ ૫દ્રવ્યથી પરિણામ વિમુખ થયા છે. હવે તે પરિણામ ભેદથી વિમુખ થઈને તે અભેદની સન્મુખ થયા એ પણ મને હૈય છે. કેમકે તે મને પરદ્રવ્ય છે. એ પરિણામમાં હું છું તેમ મારા જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં આવતું નથી. આ પરિણામથી પરાસ્મુખ થયેલા સાધક આત્માની વાત ચાલે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk