________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૪૫
પ્રદેશો એ બેયના પ્રદેશો વચ્ચે પરસ્પર પ્રદેશબંધ છે, પણ મારા શુદ્ધ આત્માની સાથે કર્મના પ્રદેશનો નિશ્ચયનયે પણ બંધ નથી અને વ્યવહારનયે પણ બંધ નથી. જો વ્યવહારનયે બંધ હોય તો તે બંધનો પર્યાયમાંથી અભાવ થઈ અને પર્યાયમાં વ્યવહા૨મોક્ષ થાય છે. માટે વ્યવહારે બંધ છે.
શું કહ્યું ? આ બહુ ઊંચી વાત છે. કામ થઈ જાય એવું છે. આહા ! વ્યવહારનયે પર્યાયમાં ભાવબંધ થાય છે તેથી વ્યવહારનયે પર્યાયનો મોક્ષ થાય છે. પરંતુ ભગવાન આત્માનો તો વ્યવહારનયે ભાવબંધ નથી માટે વ્યવહારનયે ભગવાન આત્માનો મોક્ષ નથી. ત્રિકાળ મુક્તનો મોક્ષ થતો નથી. જે બંધાય તે મૂકાય હું તો બંધાણો જ નથી.
અશુદ્ધ અંતઃતત્ત્વના પ્રદેશોનો અને કર્મ પુદ્ગલ પ્રદેશોનો એમ વાંચવું. બન્નેના પ્રદેશોનો ૫૨સ્પ૨ બંધ થાય છે અર્થાત્ તે બન્ને પોતાનું સ્થાન પોતાનામાં રાખે છે. પ્રવેશ એટલે પરસ્પર બે મળીને એક થઈ જાય છે તેમ કહેવાનો આશય નથી.
આ પ્રદેશબંધના સ્થાનો પણ નિરંજન નિજ ૫૨માત્માને નથી. શું કહે છે ? નિરંજન નિજ પરમાત્માને નથી.. નથી ને નથી... એટલે ત્રણેયકાળે નથી. ભૂતકાળમાં પણ પ્રદેશબંધ નથી, વર્તમાનમાં પ્રદેશબંધ નથી અને ભાવિ કોઈ કાળ એવો નહીં આવે કે મારી સાથે પ્રદેશબંધ થશે. થોડા વખત અશુદ્ધ અંતઃતત્ત્વની સાથે પ્રદેશબંધ થાવ તો થાવ પરંતુ મારામાં પ્રદેશબંધ થતો નથી. આમ જે જુએ છે તેને પર્યાયમાંથી પ્રદેશબંધ ઊડી જશે. અને આત્મા પૂર્ણાનંદની પ્રાપ્તિ કરશે. પછી પરિણામમાં પણ કર્મનો બંધ નહીં થાય... અને અશુદ્ધ અંતઃતત્ત્વનો નાશ થશે. પછી કર્મનો પ્રદેશબંધ પણ થશે નહીં. સાધક જાણે છે–થોડો ટાઈમ થાવ તો થાવ પણ તે બહા૨માં થાય છે.
શશીભાઈના બંગલાની બહાર એ બાવળના કાંટા ઉગ્યા છે. એના બંગલામાં કયાંય બાવળના કાંટા નથી. એમ આ ભાવકર્મનો ઉદય મારામાં થતો નથી.
અશુદ્ધ અંતઃતત્ત્વ માટે અશુદ્ધ આત્મા એમ કૌંસમાં શબ્દ વાપર્યો છે... તે વ્યવહારનયનું કથન છે. જે કૌંસમાં અશુદ્ધ આત્મા કર્યું છે એ વાત વ્યવહારનયની પ્રધાનતાથી લખી છે. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. છે પર્યાય અશુદ્ધ અને વ્યવહા૨નય કહે છે-આત્મા અશુદ્ધ છે. તેથી વ્યવહારનયનું એટલે તે જૂઠાલાલજીનું કથન છે. તે કથન સત્યવાદીનું નથી.
અશુદ્ધ અંતઃતત્ત્વના અને કર્મપુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે. આ બંધના સ્થાનો... પ્રદેશબંધના સ્થાનો પણ નથી. પણ શબ્દ શા માટે લગાડયો ? આગળથી વાત ચાલતી આવે છે કે-નિરંજન નિજ પરમાત્મામાં આના સ્થાનો નથી.. આના સ્થાનો નથી.
‘શુભાશુભ કર્મની નિર્જરાના સમયે ” શુભ અને અશુભ-પુણ્ય અને પાપ તે
દ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk