________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
શુદ્ધ અંત:તત્ત્વ ફળ હમણાં. આ ધર્મ ઉધારિયો નથી. આહા ! જ્યારે ધર્મ કરે ત્યારે જ તે સમયે તેને આનંદ આવે.
“એ જીવ અલ્પકાળમાં”, અલ્પકાળમાં એમ કેમ લખ્યું? કહે છે-પંચમકાળ છે ને ! એટલે આજ ભવમાં એમ ન લખ્યું. અલ્પકાળમાં એટલે થોડા કાળમાં. થોડાકાળમાં તે મુક્તિને પામે છે. દૃષ્ટિ અપેક્ષાએ તો મુક્ત થઈ જાય છે પણ આતો પર્યાય અપેક્ષાએ તેને અલ્પ કાળમાં મુક્તિ થાય છે.
કોને થાય છે? જે હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને અનુભવે છે-ભોગવે છે એવા જીવો અલ્પકાળમાં મુક્તિ પામે છે. “એમાં શો સંશય છે. એમાં કાંઈ સંશય નથી, એમાં અમને કોઈ શંકા નથી. તમે પણ શંકાને છોડી દેજો. જે સમયે તેને આત્માનો અનુભવ થાય તે સમયે એને પ્રતીત અને એના જ્ઞાનમાં વિશ્વાસ આવી જાય છે. અરે ! કોઈ સાધકને કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં, ભાવશ્રુતજ્ઞાનમાં મોક્ષના દર્શન પણ થઈ જાય છે. એમાં શો સંશય છે? એમાં કાંઈ સંશય નથી, અવશ્ય મુક્તિ થાય થાય ને થાય જ.
* આત્મ-ભાવના *
હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિ માત્ર લક્ષણ દ્વારા
સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય-ભરિતાવસ્થ છું. રાગ-દ્ધ ષ-મોહુ-ક્રોધ-માન-માયા-લોભ પંચેન્દ્રિય વિષયવ્યાપાર, મનવચનકાયવ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મનોકર્મ-ખ્યાતિ-પૂજા-લાભ-દષ્ટિ વ્યુતઅનુભૂત ભોગઆકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા-ત્રણશલ્ય આદિ સર્વ વિભાવપરિણામ રહિત છું, શૂન્ય છું, શુદ્ધ નિશ્ચયે હું આવો છું. તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે. એમ મન, વચન, કાયાથી અને કૃત, કારિત, અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે.”
(શ્રી સમયસાર તાત્પર્યવૃતિ ટીકામાંથી)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk