________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
શુદ્ધ અંત:તત્ત્વ
સ્થાનો ન ક્ષાયિકભાવના, લાયોપથમિક તણાં નહીં;
સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧. અન્વયાર્થ:- [ ન લાયમાવસ્થાનાનિ] જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી, [ન ક્ષયોપશમસ્વભાવસ્થાનાનિ વા] ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી, [ ગૌવિમાવસ્થાનાનિ] ઔદયિકભાવનાં સ્થાનો નથી [વા] કે [૧ ૩૫શનqમાવસ્થાનાનિ] ઉપશમસ્વભાવનાં સ્થાનો નથી.
ટીકા:- ચાર વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા પંચમભાવના સ્વરૂપનું આ કથન છે.
*કર્મોનો ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપથમિકભાવ છે. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિકભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ હોય તે પરિણામિકભાવ છે.
આ પાંચ ભાવોમાં, ઔપથમિકભાવના બે ભેદ છે, ક્ષાયિકભાવના નવ ભેદ છે, લાયોપથમિકભાવના અઢાર ભેદ છે, ઔદયિકભાવના એકવીશ ભેદ છે, પારિણામિકભાવના ત્રણ ભેદ છે.
હવે, પશમિકભાવના બે ભેદ આ પ્રમાણે છે: ઉપશમસમ્યકત્વ અને ઉપશમચારિત્ર.
સાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છે: ક્ષાયિકસમ્યકત્વ, યથાવાતચારિત્ર, કેવળજ્ઞાન ને કેવળદર્શન, તથા અંતરાયકર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય.
લાયોપથમિકભાવના અઢાર ભેદ આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન એમ જ્ઞાન ચાર; કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન એવા ભેદને લીધે અજ્ઞાન ત્રણ; ચક્ષુદર્શન, અચલુદર્શન ને અવધિદર્શન એવા ભેદને લીધે દર્શન ત્રણ; કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ ને પ્રાયોગ્યતાલબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ પાંચ; વેદકસમ્યકત્વ; વેદકચારિત્ર અને સંયમસંયમપરિણતિ.
દયિકભાવના એકવીશ ભેદ આ પ્રમાણે છે: નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ ને દેવગતિ એવા ભેદને લીધે ગતિ ચા૨; ક્રોધકષાય, માનકષાય, માયાકષાય ને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર; સ્ત્રીલિંગ, પુંલિંગ અને * કર્મોના ક્ષયે = કર્મોના ક્ષયમાં; કર્મોના ક્ષયના સદ્ભાવમાં. [ વ્યવહાર કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષયિકભાવ છે. ]
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk