________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
હોય છે પરંતુ પ્રત્યક્ષ અનુભૂતિ તો કોઈ કોઈ કાળે જ થાય છે.
શ્રોતા:- ભાઈ ! સાતમે પ્રચુર આનંદ કહેવામાં આવે છે.
ઉત્તર:- હા, પ્રચુર આનંદ તો છે. છટ્ટે જે ઉપયોગ બહાર જતો હતો અને એમાં જે આનંદ જણાતો હતો... આનંદમૂર્તિ જણાતી હતી એ પરોક્ષ છે. અંદ૨માં જ્યાં શુદ્ધઉપયોગ થયો ત્યાં તે પ્રત્યક્ષ થઈ ગયો. આ નિર્વિકલ્પ ધ્યાનમાં થયું, અને પેલું સવિકલ્પમાં આત્મા પરોક્ષ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે.
૨૮૧
અનાદિકાળથી અજ્ઞાની જીવને પરોક્ષ અનુભૂતિ થાય છે.. અને પછી પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે, એમ સાતમાવાળાને પ્રત્યક્ષ અનુભૂતિ થાય તેને શુદ્ધઉપયોગની ભૂમિકા કહેવાય છે. આનું નામ ચારિત્ર ખલ્લુ ધમ્મો છે. “ વંસળ મૂલ્લો ધમ્મો અને ચારિત્ર વસ્તુ થમ્મો।” ચારિત્ર એટલે સ્વરૂપમાં રમવું-ચરવું–લીન થઈ જવું તેનું નામ ખરેખર ચારિત્ર છે અને તેનું નામ જ ધર્મ છે.
મુનિરાજ શ્રેણીનો જ અભ્યાસ કરે છે. શ્રેણી તો આ કાળે આવતી નથી પણ તેઓ શ્રેણીનો જ અભ્યાસ કરે છે. છઠ્ઠ ગુણસ્થાને સવિકલ્પદશામાં પરોક્ષ અનુભૂતિ થાય છે. સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ છે. સવિકલ્પ એટલે શું ? પાંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂળગુણના વિકલ્પ ઉત્પન્ન થાય એટલે સવિકલ્પદશા આવી જાય છે. ત્યાં થોડો મનનો વ્યાપાર ચાલુ થઈ ગયો છે.. અને મન છે માટે પરોક્ષ છે અને જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. જ્ઞાન એટલે શુદ્ધોપયોગ છે એ પ્રત્યક્ષ છે. થોડો અભ્યાસ હોયને તો આ બહુ મજા આવે એવું છે. ઓહો ! આ તો સંતોની વાણી છે.
સાતમે જૈન ન કહ્યો જિન કહ્યો. જેમ તેરમે જિન છે તેમ સાતમે જિન છે. જેમ તેરમામાં શુદ્ધોપયોગ છે તેમ સાતમામાં શુદ્ધોપયોગ છે–માટે બન્ને જિન છે. આ ન્યાય. (શ્રોતા:- હાલતા-ચાલતા સિદ્ધ કહેવાય છે તે વાત હવે મળી કહેવાય.) જેમ લોહચુંબક મોટું હોય અને તે જેમ સોયને ખેંચી લ્યે એમ જે ઉપયોગ બહાર જાય છે તે ફટ અંદર ખેંચાય જાય છે. તીવ્ર રુચિવાન છે એટલે ઉપયોગ બહાર ટકતો નથી.. ફટ અંદર આવી જાય છે.
૫૨મ જિનયોગીશ્વર ’ આહાહા ! યોગમાં પણ ઉત્કૃષ્ટ છે. યોગ એટલે શું ? ઉપયોગને આત્મામાં જોડવો તેનું નામ યોગ અને તે જોડાય જાય તેનું નામ યોગી અને આ તો યોગીશ્વર. એક એક શબ્દની કિંમત છે. યોગ, યોગી, યોગીશ્વર, યોગીશ્વર એ શુદ્ધોપયોગનું મૂળ કારણ છે. ૫૨મ જિન યોગીશ્વર એટલે યોગીમાં પણ ઈશ્વર તે વિશેષણ શુદ્ધોપયોગની ભૂમિકામાં આવે છે ત્યારે લાગે છે. છઠ્ઠ યોગી તો છે પરંતુ યોગીશ્વર નથી. આહા! યોગમાં પણ મહાન છે. ઉપયોગને જ્યાં અંદ૨માં જોડી દીધો ત્યાં શુદ્ધોપયોગ થઈ ગયો. જેમ અરિહંત ભગવાનને આત્મા પ્રત્યક્ષ થાય છે તેમ આ સાતમાવાળાને પણ
Please inform us of any errors on [email protected]