________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૭૩
બહિર્સન્મુખ થયેલા છે અને કેટલાક પિરણામ અંતર્સન્મુખ થયેલા છે. એ બે પ્રકારના
પરિણામના ભેદોની વાત કહે છે.
નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ તે જીવના પરિણામની યોગ્યતાના ભેદને લીધે ગતિ ચાર છે. ગતિ એટલે આત્માની પરિણતી. હવે કષાયની વાત-ક્રોધકષાય, માનકષાય, માયાકષાય અને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર છે. તે બધા ઉદયભાવના પ્રકારો છે. સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ છે. સામાન્ય સંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક, અસંયમતા એક, અસિદ્ધત્વ એક, શુકલલેશ્યા એક, પદ્મલેશ્યા એક અને પીત્તલેશ્યા તે ત્રણેય શુભભાવ છે અને ત્રણ અશુભભાવરૂપ છે તે કાપોત લેશ્યા, નીલલેશ્યા, કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે લેશ્યા છ પ્રકારની છે.
આ બધા બહિર્મુખ પરિણામથી ઉત્પન્ન થયેલાં ઉદયભાવો છે. આ પર્યાયો છે. એ ભાવો છે ત્યાં સુધી છે, તે કાંઈ સસલાના શીંગડા નથી. પરંતુ એ બધા ભાવો છે પરંતુ મારામાં નથી. એ પરિણામો જીવને નથી, જીવમાં નથી તેથી ખરેખર નિશ્ચયનયે જોવામાં આવે તો જીવ તેનો કર્તા અને ભોક્તા પણ નથી. એવો અકર્તા આત્મા-જ્ઞાયક આત્મા તે દૃષ્ટિનો વિષય છે. તેમાં દૃષ્ટિ લગાવતાં તેને આત્માનો અનુભવ થાય છે. એ વીતરાગી પરિણતીને પરમાત્મા ધર્મ કહે છે-તેનું નામ ધર્મધ્યાન છે.
હવે પારિણામિકભાવના ત્રણભેદ આ પ્રમાણે છે. (૧) જીવત્વપારિણામિક, ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક તેને કર્મની અપેક્ષા નથી. તેને કર્મના ઉદયની, ઉપશમની, ક્ષયોપશમની કે ક્ષયની કાંઈ અપેક્ષા આવતી નથી. એવા ભાવને ૫રમાત્મા પારિણામિકભાવ કહે છે. એ પારિણામિકભાવના ત્રણ ભેદ કહ્યા.
(૧) જીવત્વ પારિણામિકભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. (૨) ભવ્યત્વ પારિણામિકભાવ ભવ્યોને જ હોય છે.
(૩) અભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યોને જ હોય છે.
ત્રણ પ્રકારના પારિણામિકમાં જીવત્વ પારિણામિક કહ્યું તે ભવ્ય અને ભવ્યોને બધાને હોય છે. આ અશુદ્ધ પારિણામિક ભાવ હોવાથી એ પર્યાયાર્થિકનયનો વિષય છે. તે વ્યવહારનયનો વિષય હોવાથી એ ભાવ ભગવાન આત્મામાં નથી. જીવનું ખરેખર લક્ષણ શુદ્ધ જીવત્વપારિણામિક ભાવ છે. એ તો જીવમાં તન્મયપણે રહેલો છે. આ ત્રણપ્રકારના જે ભાવો કહ્યાં તે બધા પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી તે ભગવાન આત્મામાં નથી.
જે જીવત્વ પારિણામિક કહ્યો તેનાં બે ભેદ છે. (૧) શુદ્ધજીવત્વ અને (૨ દશપ્રકારના પ્રાણથી જીવે તેવો અશુદ્ધ જીવત્વ. આ અશુદ્ધ જીવત્વ આત્મામાં નથી. શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk