________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
પ્રવચન નં:- ૪ ગાથા-૪૧ નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ; સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક ને અસંયમતા એક; અસિદ્ધત્વ એક; શુકલલેશ્યા, પઘલેશ્યા, પીતલેશ્યા, કાપોતલેશ્યા, નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે લેશ્યા છે.
પારિણામિકભાવના ત્રણ ભેદ આ પ્રમાણે છેઃ જીવત્વપારિણામિક, ભવ્યત્વપારિણામિક અને અભવ્યત્વપારિણામિક. આ જીવત્વપારિણામિકભાવ ભવ્યોને તેમ જ અભવ્યોને સમાન હોય છે; ભવ્યત્વપારિણામિકભાવ ભવ્યોને જ હોય છે; અભવ્યત્વ-પારિણામિકભાવ અભવ્યોને જ હોય છે.
આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું.
પાંચ ભાવો મળે ક્ષાયિકભાવ કાર્યસમયસારસ્વરૂપ છે; તે (ક્ષાયિકભાવ) ત્રિલોકમાં પ્રલોભના હેતુ ભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને (તેમ જ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને) અથવા સિદ્ધભગવાનને હોય છે. ઔદયિક, પથમિક અને ક્ષાયોપથમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહિ.
પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાનકાળ) જાય છે, (ભવિષ્યકાળ) જશે અને (ભૂતકાળ) જતા.
ગાથા – ૪૧ : ઉપર પ્રવચન આહા... હા! કુંદકુંદભગવાન અને તેના ટીકાકાર તે બન્નેની જોડી મળી ગઈ. આહા ! એ જોડી લખે છે કે-આ મારા ભગવાન આત્મામાં ક્ષાયિકભાવના સ્થાનો નથી. હવે અન્વયાર્થ લઈએ.
જીવને એટલે મને. આ ક્યા જીવની વાત છે? આ શુદ્ધજીવાસ્તિકાયતત્ત્વની વાત છે. આ જીવદ્રવ્યની વાત નથી. જીવદ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવી જાય. અને જીવતત્ત્વમાં એકલો સામાન્ય જ્ઞાયકભાવ જેનું લક્ષણ પરમપારિણામિક ભાવ છે તે જીવતત્ત્વમાં આવે છે. જીવાદિ તત્ત્વોમાંથી જીવતત્ત્વ ખેંચવા જેવો છે. જીવાદિ તત્ત્વોમાંથી અર્થાત્ સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વરૂપ આત્મજ્યોતિને અંતષ્ટિ કરીને ખેંચી લેવા જેવી છે.
જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી.” જીવને એટલે મને ક્ષાયિકભાવના સ્થાનો નથી. પ્રશ્ન થાય કે અત્યારે ક્ષાયિકભાવ નથી અને અત્યારે તેનું જ્ઞાન કરવું? હા, ભાઈ ! જે તારામાં નથી તેનું અત્યારથી જ્ઞાન કરાવે છે. કેવળજ્ઞાન તારામાં નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk