________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
४७ અશુદ્ધ અંત:તત્ત્વની પર્યાય જોડાય છે. સુખ દુઃખમાં તે કોના સુખ-દુ:ખમાં જોડાય છે? તે જડકર્મના અનુભાગમાં જોડાય છે ત્યારે નૈમિત્તિક ભાવમાં સુખ-દુ:ખ ઉત્પન્ન થાય છે. અર્થાત્ બે જગ્યાએ–બમાં સુખ-દુ:ખ છે. એક અજીવ દુઃખરૂપ છે અને બીજા જીવના પરિણામ દુઃખરૂપ છે. અજીવ પુર્ણને, જીવ પુણ્ય. અજીવ પાપ અને જીવ પાપ. જીવના પરિણામમાં દુઃખ અને અજીવના પરિણામમાં દુ:ખ છે.
અજીવના પરિણામમાં દુઃખ હોય? હા.. ભાઈ ! સાંભળ ! અનુભાગ એવો રસ છે તારા અજ્ઞાનનું નિમિત્ત પામીને એ જડકર્મમાં-નૈમિત્તિકમાં ઉત્પન્ન થયેલો જે રસ તેને અનુભાગ કહેવામાં આવે છે. આહા..! એ અનુભાગના સ્થાનોનો પણ અવકાશ નથી. અહીં શબ્દ વાપર્યો છે-અવકાશ નથી.
શું કહ્યું? હવે સરવાળો મારે છે. હવે આ જડકર્મની સત્તામાં થતો સુખ-દુઃખનો ભાવ, બીજું પોતાના શુદ્ધાત્માને છોડીને જે અશુદ્ધ અંત:તત્ત્વરૂપ પરિણમન છે તે કર્મના સુખ-દુઃખનું લક્ષ કરે છે... ત્યારે લક્ષ કરનારી જે પર્યાય છે તેમાં સુખ-દુઃખ થાય છે. એ સુખ-દુ:ખનો આત્મામાં અવકાશ નથી એટલે કે તેનો અભાવ છે. હવે આગળ ભાવકર્મમાં આ વાતને ચોખ્ખી કરશે.
અન્વયાર્થમાં ચાર પ્રકારના બંધ લીધા અને એક ઉદય સ્થાન લીધું છે. અન્વયાર્થીની છેલ્લી લીટી વાંચો-તેમાં “ઉદય સ્થાનો નથી'. એનો વિસ્તાર હવે કહે છે.
વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મ તત્વને વિષે) નથી.” કર્મના ઉદયના સ્થાનો જીવમાં નથી. એ ઉદયના બે પ્રકાર કહેશે. એક જડકર્મનો ઉદય અને એક ભાવકર્મનો ઉદય. જડકર્મનો ઉદય તો આત્મામાં છે જ નહીં. પરંતુ ભાવકર્મના ઉદયનો અવકાશ પણ આત્મામાં નથી. આ સમજવા જેવી વાત છે. ન સમજાય તો નકાર તો ન કરવો ભાઈ ! આ સર્વજ્ઞભગવાનનું વચન છે હોં! ન સમજાય તો અત્યારે ડીપોઝીટ રાખવું પણ નકાર તો ન કરવો. કેમકે અત્યારે તારી વર્તમાન યોગ્યતાની પર્યાયનો સમજવાનો સ્વકાળ ન પાક્યો હોય તો કાલ પાકી જશે. પરંતુ નકાર કરીશમાં હોં!
આ વાતનો નકાર કરીશમાં... અને હુકાર ન આવે તો આમ (હા) પણ કરીશમાં. (સમજ્યા વિના હા પાડીશમાં) આમ તો કરીશમાં એટલે (નકાર કરીશમાં) જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આમ ( સ્થિર) રાખજે. આ સર્વજ્ઞભગવાનનું કથન છે તે વિચારવા યોગ્ય છે. તેને વિચાર કોટીમાં રાખજે તો તારું કામ થશે.
અહીં કહે છે-દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નથી. આહા હા ! શું કહ્યું? અવકાશ જ નથી. જીવમાં મિથ્યાત્વના પરિણામ પ્રગટ થઈ જાય તેવો અવકાશ જ નથી. વાત તો જરા કઠણ પડે તેવી છે. પણ અમૃત જેવી છે. કામ થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk