________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૫૫
ભિન્ન છે તેથી તેને હવે હું મારા જાણવાના વિષયમાંથી કાઢું છું. જાણવાના વિષયના નામે પણ જ્ઞાયક આત્મા તેને તિરોભાવ થાય છે.. અને તેને શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે.. તે અજ્ઞાન છે.
શું કહ્યું ? સંપદાથી ભરેલો મારો ભગવાન આત્મા છે તેમાં આ શુભાશુભભાવોની જે વિપદાઓ છે અને એની જે આકુળતા છે તેનો મારામાં અત્યંતપણે અભાવ છે.. તેથી તે અપદ છે. સ્વપદમાં આ વિપદા અપદ હોવાથી તેનો મારામાં અભાવ છે, અર્થાત્ જ્યાં બિલકુલ વિપદા નથી. આહા! સાધકને પર્યાયમાં જરાક-સહેજ પણ અસ્થિરતાની આકુળતા હોય એ આકુળતાનો મારી સંપદામાં ત્રિકાળ અભાવ છે-તે મારામાં નથી. પ્રગટ થયેલો અતીન્દ્રિયઆનંદ મારામાં નથી તો પછી આકુળતાની વાત તો કયાંયને કયાંય દૂર રહી જાય છે.
એમ કહ્યું ને-વિપદાઓનું અત્યંતપણે એટલે વિપદા બિલકુલ નથી. અત્યંતપણે અપદ છે તેથી તે મારું પદ નથી તે અપદ છે. શુભાશુભભાવો અપદ છે. નિત્ય શુદ્ધભાવ તે સ્વપદ છે. આહા... હા ! મારી સંપદામાં વિપદાનો ત્રણેયકાળ અભાવ છે.
આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. આના મથાળું સંવર નિર્જરા કે મોક્ષ નથી. આ અધિકારનું મથાળું આસ્રવ, બંધ પણ નથી. આના મથાળામાં શુદ્ધ જીવતત્ત્વનું મથાળું છે. શુદ્ધતત્ત્વ કહો કે શાયકભાવ કહો. પરમપારિણામિકભાવ જેનું લક્ષણ છે એવો નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું. આ વાત પરમાત્માની છે. અહીંયા પરમાત્મા બિરાજમાન છે હોં !
નિત્ય શુદ્ધતા તે મારી સંપદા છે, જ્યાં વિપદા બિલકુલ નથી એવું અસ્તિ-નાસ્તિ અનેકાન્ત કર્યું. સંપદાઓ છે આપદાઓ મારામાં નથી એમ અસ્તિ-નાસ્તિ અનેકાન્ત કરીને સમ્યક્ એકાન્તનું અવલંબન લેતાં અનેકાન્તનું જ્ઞાન થઈ જાય છે.
શું કહ્યું ? અસ્તિ-નાસ્તિ અનેકાન્તનું જ્ઞાન કરાવ્યું કે આવી સંપદાથી હું ભરેલો છું અને મારામાં વિપદાઓ બિલકુલ નથી એમ અસ્તિ-નાસ્તિનું જ્ઞાન કરાવીને સમ્યક્ એકાન્ત એવા નિજ સંપદામાં હું દૃષ્ટિ લગાવું છું. સમ્યક્ એકાન્તનું જ્ઞાન થતાં તેને અનેકાન્તનું જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. સમ્યક્ એકાન્તપૂર્વક અનેકાન્ત તે સમ્યક્ અનેકાન્ત છે. સમ્યક્–એકાન્તને છોડીને જે અનેકાન્તમાં રોકાય છે તે મિથ્યા અનેકાન્ત છે, તેનું નામ અનેકાન્ત છે નહીં. અનેકાન્તના નામે પણ શાસ્ત્ર પાઠી રોકાઈ જાય છે. સમંતભદ્રાચાર્યનું સૂત્ર છે-“ અનેળાન્તોઽપિ અનેહાન્ત: ન મેળાન્ત: ” તે દૃષ્ટિનો વિષય નથી. સમ્યક્ એકાન્ત એવો શુદ્ધઆત્મા તે દૃષ્ટિનો વિષય છે. શ્રીમદ્ભુએ પણ કહ્યું છે કે–“ અનેકાન્તિક જ્ઞાન પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ”અનેકાન્તમાં આવતાં તે પંડિત થાય છે અને અનેકાન્તમાંથી એકાન્ત કાઢે તોએ સમકિતી બની જાય છે. તેણે અસ્તિ-નાસ્તિ અનેકાન્ત કર્યું.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk