________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
શુદ્ધ અંત:તત્ત્વ છે. અને જેને સાધક થવું હોય તેને પણ આ જ રીત છે.
(૧) મિથ્યાષ્ટિને પણ એક જ રીત છે, (૨) સમકિતીને પણ એક જ રીત છે, (૩) વીતરાગી સાધક મુનિરાજને પણ એક જ રીત છે. શ્રીમદ્જીમાં આવે છે..
એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ, પ્રશ્ન- આ જ્ઞાનીની વાત છે... જ્ઞાની છે તે આવી રીતે ભેદજ્ઞાનથી પરિણમે છે. તેમને ભેદજ્ઞાનની કલા આવડે છે... તેમ કહેવું છે?
ઉત્તર:- જેને આવું ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે બીજાને એમ કહે છે કે આ રીતે અમે ભેદથી પરામુખ થયા છીએ અને પરિણામમાં સાધક અવસ્થા પ્રગટ કરી છે. તેથી તે કહે છે-હે. અજ્ઞાની. આત્માઓ ! તમારે પણ અમારા જેવું થવું હોય તો.. તમે પણ આ પરિણામમાત્રની ઉપેક્ષા કરજો. પરિણામ પ્રત્યે દ્વેષ કરતા નહીં, કેમકે વીતરાગમાર્ગમાં રાગ અને દ્વેષ નથી. આત્મા પ્રત્યે મને રાગ નથી અને પરિણામ પ્રત્યે મને દ્વેષ નથી. ( શ્રોતા:- બહુ સરસ... બહુ સરસ ) પડકાર આવે છે હોં !
અરે ! સાધકનું જે જ્ઞાન મધ્યસ્થ થયું તેને આત્મા ઉપર રાગ આવતો નથી અને આત્માશ્રિત જે પરિણામ પ્રગટ થયા છે તેના પ્રત્યે દ્વેષ આવતો નથી. હેય છે એટલે કે ઉપેક્ષારૂપ છે. જ્ઞાનમાં એમ જણાય છે કે એક સમયનો જે પર્યાય પ્રગટ થયો છે તે તેનાથી થયો છે. એના ષકારકથી.. એના અકાળે. એની જન્મક્ષણ છે તેથી તે પરિણામ પ્રગટ થયા છે. એ સમ્યજ્ઞાનના પરિણામ મારા આત્માને જાણે છે. હું આત્માને જાણતો નથી. જે પરિણામ સમ્યજ્ઞાનના-અતીન્દ્રિયજ્ઞાનના પ્રગટ થયા તે ભગવાન આત્માને જાણે છે. આત્માને જાણતાં-જાણતાં એ પરિણામમાં સ્વપર પ્રકાશક શક્તિ એવી પ્રગટ થઈ ગઈ છે કે દ્રવ્ય જણાતાં એ પરિણામ ઉપેક્ષારૂપે તે સમયે જણાય જાય છે. એક અપેક્ષારૂપ જણાય છે, બીજું ઉપેક્ષારૂપ જણાય છે. અપેક્ષારૂપ જણાય છે તે ઉપાદેયરૂપ તત્ત્વ છે. ઉપેક્ષારૂપ જણાય છે તે હેય તત્ત્વ છે. ઝીણી વાત છે ભાઈ !
સમયસારને સમજાવવાનો જે વ્યવસાય કર્યો છે તે હવે ભાવ ઓસરી ગયો છે. હવે અમારી ઉત્તર અવસ્થા છે એટલે ઠરવાની અવસ્થા છે. અમારો કાળ સ્વભાવમાં ઠરવાનો આવ્યો છે. ( શ્રોતા:- સત્યવાત છે.) પરમ સત્યવાત છે તેમ ગુરુદેવ ફરમાવે છે. આ અફર વાત છે.
કહે છે-સાધક આત્મા પરદ્રવ્યથી પરાભુખ છે. મિથ્યાષ્ટિને પણ આ વાત લાગુ પડે છે એમ ! કોઈને એમ થાય કે આ તો સાધકની વાત છે એટલે જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને પરિણામ હોય છે અને મિથ્યાદેષ્ટિ હોય તેને પરિણામ ઉપાદેય કરવા જેવા છે?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk