________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૩૩
મિથ્યાર્દષ્ટિ છું, મારામાં રાગ થાય છે, મારામાં દુઃખ થાય છે એ હવે ભૂલી જા ! રાગ થાય છે બીજે અને માને છે જીવમાં થાય છે તે અજ્ઞાન છે. રાગ-દ્વેષ-મોહ થાય છે બીજામાં અને સ્થાપે છે પોતામાં તેનો સંસારથી આરો કેદ આવશે ! આહા! તેનો આરો આવવો મુશ્કેલ છે. રાગ-દ્વેષ-મોહ બીજામાં થાય છે. મારામાં નહીં હોં! હવે મારામાં સ્થાપ નહીં. ખતવણી કરવામાં ભૂલ કર નહીં. ખતવણી ફેરે મોટો ફેર પડશે.
એવા આત્માની તું રુચિ કેમ કરતો નથી ? ‘તું ’ ‘તું ’ કેમ રુચિ કરતો નથી તેમ કહે છે. તારા આત્મામાં રુચિ કરી લેને ! જે આત્મા ડાહ્યા પુરુષોને ગોચર છે. અમારો આત્મા અમને અનુભવમાં આવી ગયો છે. અમે અનુભવીને કહીએ છીએ કે અમારો આત્મા શુદ્ધ છે. અમે તમારા આત્માને પણ શુદ્ધરૂપે જાણીએ છીએ. તમારો આત્મા અશુદ્ધ છે એમ અમારા જ્ઞાન અને શ્રદ્ધાનમાં આવતું નથી. કેમકે અશુદ્ધને જાણનારી વ્યવહારનયનો અમારામાં અભાવ છે.
હું કઈ નયથી જાણું કે તું અશુદ્ધ છો ! એ નય અમારી પાસે નથી. આ ઊંચા પ્રકારની વાત છે. આહા ! આ આત્માનું રુપ કેવું રમણીય છે. આહા... હા ! રમવાનું કોઈ સ્થાન હોય તો એક શુદ્ધાત્મારામ જ છે. એ રમણીય હોવાથી તે રમવા જેવું છે, બીજે રમવા જેવું નથી. આવા આત્મામાં તું કેમ રુચિ કરતો નથી ?
66
અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે ? ” શુભભાવ તે દુષ્કૃત છે. અહીંયા અશુભ ભાવની તો વાત જ નથી. કેમકે તેને છેડે અશુભ લખ્યું છે. દુષ્કૃત એટલે અશુભભાવ તેવો અર્થ નથી. દુષ્કૃત એટલે શુભભાવ તે સંસારસુખને કેમ વાંછે છે? સાંસારિક સુખની તને હજી કેમ વાંછા રહે છે ? એ આશા અને તૃષ્ણા તારી કેમ મટતી નથી ? તું શુદ્ધાત્માની રુચિ કેમ કરતો નથી ? કાળ પાકી ગયો છે અને લક્ષ્મી ચાંદલો કરવા આવે અને તું હવે મોઢું ફેરવમાં. આ મોટા ઘરના કહેણ આવ્યા છે તેને ના પાડીશ નહીં હોં!
જૂનાગઢનો રાજા રા'માંડળિક ગાદી ઉપર બેસે છે. રિવાજ મુજબ ચારણની કુંવારી દીકરી રાજાને ચાંદલો કરવા આવે છે. ચારણની દીકરી પુત્રી છે અને રાજા પિતા છે. તે જ્યારે પિતાને અર્થાત્ રાજાને ચાંદલો કરવા જાય છે ત્યારે રાજા આમ મોંઢુ ફેરવે છે. રાજા ચાંદલો કરવા દેતો નથી. કેમકે ચાંદલો કરે તો તે દીકરી થઈ જાય તો તેનો ભાવ ફરી જાય. ચાંદલો કરવા ધે તો કામવાસનાનો ભાવ ટળી જાય. દીકરી ગઈ તેની મા પાસે અને તે માતાને વાત કરે છે. માતાજી રા 'માંડળિકને હું ચાંદલો કરવા ગઈ તો ‘રા’ એ મોંઢુ ફેરવ્યું. માતા કહે–રા 'માંડળિકનો દિ' ફરી ગયો છે. તેની દૃષ્ટિમાં વિકાર આવી ગયો છે તેથી તે ગાદી ઉ૫૨ ટકશે નહીં. અને ખરેખર એમ જ થયું.
તેમ અહીંયા કહે છે–અત્યારે આ કાળ આવ્યો છે. મારામાં રાગ નથી, મારામાં દ્વેષ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk