________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૯ પ્રતિકૂળતા મને દુઃખનું કારણ છે.
તે કહે- હું બહુ દુઃખી છું. બીજો મિત્ર કહે- દુઃખનું કારણ તો કહો ! ? મિત્ર કહે– મારા જ્ઞાનની અંદર મારો ભગવાન આત્મા જાણવામાં આવતો નથી–જણાતો નથી, અનુભવમાં આવતો નથી એટલે મને બહુ પ્રતિકૂળતા છે, અને એ પ્રતિકૂળતાનું મને બહુ દુ:ખ વર્તે છે. - અજ્ઞાની અને જ્ઞાનની પ્રતિકૂળતાની વ્યાખ્યામાં મોટો ફેર છે. મારા જેવું કોઈ દુઃખી નથી. પણ તમારું દુઃખ શું છે તે તો કહો? મારા જ્ઞાનમાં મારા ભગવાન આત્માના દર્શન હજુ થતા નથી તેથી જ્ઞાનદર્શનને વિષયનો જે પ્રતિબંધ થયો છે તે દુઃખ છે. વિષય એટલે જ્ઞાયક આત્મા તે જ્ઞાનનો વિષય છે, અને તેનો પ્રતિબંધ એટલે આત્માનું જ્ઞાનમાં ન જણાવું, અનુભવમાં ન આવવું એ પ્રતિબંધ છે અને પ્રતિકૂળતા છે અને તે મને દુઃખ છે. એ પ્રતિકૂળતાનો સિદ્ધ ભગવાનને અભાવ હોવાથી તેઓ સુખી છે. આ વાત પંચાસ્તિકાય શાસ્ત્રમાં લખેલી છે હોં !
“અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુ:ખનો અભાવ હોવાથી અહર્ષ સ્થાનો નથી.” આહા.. હા ! અહર્ષના એટલે શોકના સ્થાનો મારામાં નથી. મારામાં શોક થતો નથી શોક બહારમાં થાય છે. હર્ષ પણ બહારમાં થાય છે અને શોક પણ બહારમાં થાય છે. એ પણ ક્યાં સુધી થાય છે? જ્યાં સુધી હું સ્વરૂપમાં લીન નથી થતો ત્યાં સુધી થાય છે. પ્રથમ એનું જ્ઞાન થાય છે પછી તો તેનું જ્ઞાન પણ રહેતું નથી.
શ્લોક - ૧૫
(શાર્દૂનવિક્રીડિત) प्रीत्यप्रीतिविमुक्तशाश्वतपदे निःशेषतोऽन्तर्मुखनिर्भेदोदितशर्मनिर्मितवियतिम्बाकृतावात्मनि। चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे
बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः।। ५५ ।। [શ્લોકાર્ચ- ] જે પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિઃશેષપણે અંતર્મુખ અને નિર્ભદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર-અરૂપી) છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છે-એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે? ૫૫.
શ્લોક - ૨૫: ઉપર પ્રવચન “જે પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે” પ્રીતિ એટલે રાગ અને અપ્રીતિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk