________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૫
કહેવામાં આવે છે. દ્રવ્યકર્મરૂપ જે દ્રવ્ય આયુ છે તે નિમિત્ત છે. એ દશ પ્રકારની યોગ્યતા જે છે તે હૈય છે. જીવ હેય છે અર્થાત્ વ્યવહા૨જીવ હેય છે.
હવે બીજો શબ્દ છે ‘ અજીવ ’. પોતાના એક શુદ્ધાત્મા સિવાય બાકી બધુંય અ.. જીવ છે. લોકાલોક અ.. જીવ, તેમાં પંચપરમેષ્ઠી પણ અ.. જીવ છે. મૂળમાં કુંદકુંદભગવાને જીવાદિ બાહ્ય તત્ત્વને માટે ‘ હૈય ’ શબ્દ વાપર્યો હતો. ટીકાકાર કહે છે–સાત તત્ત્વોનો સમુહ ઉપાદેય નથી. મૂળમાં જે હેય શબ્દ છે તેમાંથી ઉપાદેય નથી તે કાઢયું.
પંચપરમેષ્ઠી ઉપાદેય નથી તેનો અર્થ આશ્રય કરવા યોગ્ય નથી. અજીવમાં પંચપરમેષ્ઠી ભેગા આવી ગયા. અજીવ તત્ત્વ હૈય છે અને ઉપાદેય નથી. અષ્ટપાહુડમાં કહ્યું છે કે-“ પરવળ્વાઓ વાડ્.” તીર્થંકર ભગવાનની સામે જોઈશ ને તો પણ તારી દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે માઠી ગતિ થશે. માટે અજીવ તત્ત્વ પણ હેય છે.. એટલે કે ઉપાદેય નથી.. એટલે કે-આશ્રય કરવા યોગ્ય નથી.
હવે જીવ અને અજીવ એ બેમાં બન્નેના પરિણામને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. જીવ સામાન્ય અને અજીવ સામાન્ય તે બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કોઈ કાળે થઈ શકતો નથી, અશકય છે. તેથી અજીવ વિશેષ અને જીવ વિશેષ તે બન્ને હેય છે. જીવ સામાન્ય ઉપાદેય છે અને અજીવનું જે સામાન્ય છે તે જ્ઞેય છે. અજીવના વિશેષો હેય છે અને જીવના વિશેષો તે પણ હેય છે. જીવના સાત વિશેષો અને અજીવના સાત વિશેષો તે બન્ને હૈય છે.
સૌ પ્રથમ જીવ આવ્યો, પછી અજીવ આવ્યો અને હવે આસ્રવ અને બંધ આવે છે. અજીવના લક્ષે થતાં આસ્રવ અને બંધ તે હેય છે. આ સાંભળવાનો જે વિકલ્પ ઊઠે છે ને તે અજીવના લક્ષે ઉત્પન્ન થયેલો શુભભાવ હોવાથી તે હેય છે. તે ઉપાદેય નથી એટલે કે તે જીવતત્ત્વ નથી. જીવમાં શુભભાવ નથી અને શુભભાવમાં જીવ નથી.. તેથી શુભભાવ ૫૨ દ્રવ્ય છે અને ૫દ્રવ્ય હોવાને કારણે ઉપાદેય નથી. તે શુભભાવ લક્ષ કરવા યોગ્ય નથી. અજીવના લક્ષે ઉત્પન્ન થયેલો શુભાશુભ ભાવ આસ્રવ અને બંધ તે આશ્રય કરવા યોગ્ય નથી.
અજીવમાં આસ્રવ અને બંધ તો નથી, અને તે અજીવના સદ્ભાવ સંબંધે ઉત્પન્ન થયેલા આસ્રવ અને બંધના વિકારી પરિણામ એ પણ હૈય છે ઉપાદેય નથી. તે જીવ તત્ત્વ નથી. જીવમાં શુભાશુભ ભાવ નથી.. અને શુભાશુભ ભાવમાં જીવ નથી. અજીવમાં જીવ નથી અને જીવમાં અજીવ નથી.
કહે છે-જે દશ પ્રકારનાં પ્રાણ છે તે જીવની સત્તામાં અર્થાત્ જીવના અસ્તિત્વમાં નથી. સામાન્ય જીવ જે ઉપાદેય છે તેમાં આ વિશેષ દશ પ્રકારના પ્રાણનો અભાવ છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે.. માટે વિશેષો ઉપાદેય નથી. તેમ અજીવ પણ ઉપાદેય નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk