________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXIV વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે.” આચાર્યદેવના આ ક્રમમાં પણ રહસ્ય છે. કેમકે વ્યવહારના પક્ષના નિષેધ વિના નિશ્ચયનો પક્ષ પણ આવતો નથી. વ્યવહારના પક્ષનો નિષેધ તે જ અનિર્વચનીય નિશ્ચયનું વાચ્ય છે. માટે વ્યવહારનો નિષેધ તે નિશ્ચયની પ્રાપ્તિનો ઉપાય છે. આ રીતે જ માર્ગનો ક્રમ છે.
ટીકામાં વિભાવગુણ પર્યાયો વિનાનો છે તેમ કહ્યું એટલે કે વ્યંજન પર્યાયથી તો રહિત છે પરંતુ અર્થ પર્યાયથી રહિત છે. તેનાથી આગળ અગુરુલઘુ આદિ ગુણની નિરપેક્ષ પર્યાયોથી પણ રહિત છે. આ વિભાવ ગુણ પર્યાયો છે તે બહિર્તત્વ છે.
શ્રી કુંદકુંદદેવે ૩૮ ગાથામાં સાતેય તત્ત્વોને બહિર્તત્ત્વ-હેય કહ્યું. જ્યારે ટીકાકારે હેય ન કહેતા પરદ્રવ્ય કહ્યું. બહિર્તત્ત્વની સામે અંત:તત્ત્વ કેવું છે? તે વાત કુંદકુંદદેવે ૫૦ ગાથામાં કહી. ૩૮માં સાતેય તત્ત્વોના સમૂહને હેય કહ્યું તો ૫૦ માં પરદ્રવ્ય કહ્યું. ૩૮માંપર્યાયને બહિર્તત્ત્વ અને હેય કહ્યું. તેનું કારણ પ૦ ગાથામાં કહ્યું. ૫૦ ગાથામાં-પર્યાયને પરસ્વભાવો, પરદ્રવ્ય અને હેય કહ્યું. પરિણામ પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે માટે હેય છે.
૩૮ ગાથામાં ટીકાકારે સાત તત્ત્વોને પરદ્રવ્ય કહ્યાં. પરદ્રવ્યની સામે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્યબુદ્ધિ છે તે વાત કહી પરંતુ સ્વદ્રવ્યનું સ્વરૂપ શું છે તે વાત તેમણે ન કહી. જ્યારે ૫૦ ગાથામાં કુંદકુંદભગવાને પર્યાયને પરદ્રવ્ય કહ્યું તેની સામે સ્વદ્રવ્ય કેવું છે તે સ્વરૂપ પણ બતાવ્યું. પ૦માં પરિણામ પરસ્વભાવો છે અને સ્વસ્વભાવ નથી તેમ અસ્તિનાસ્તિ ભેદજ્ઞાનથી વાત કહી. આમ વિશેષમાત્ર બહિર્તત્ત્વ છે અને સામાન્ય તે જ અંત:તત્ત્વ છે. સ્વદ્રવ્ય એક છે, પરદ્રવ્ય સાત છે. ગુણો અનેક છે, ગુણી એક છે. સ્વભાવ એક છે પરભાવો ચાર છે. હેય ઉપાદેયનું સ્વરૂપ બતાવનાર પૂ. ભાઈશ્રી:
આ બન્ને ગાથામાં અંદરમાં જ હેય તત્ત્વ છે અને અંદરમાં જ ઉપાદેય તત્ત્વ છે. આમ ય ઉપાદેયની વહેંચણી પ્રમાણજ્ઞાનના વિષયભૂત દ્રવ્યમાં જ કરેલી છે. અંદરમાં જ સ્વદ્રવ્ય છે અને અંદરમાં જ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને બહારમાં શોધવાની જરૂરત નથી. કેમકે બહારમાં પરદ્રવ્ય નથી. બહારના પદાર્થો તો શય છે.
સ્વદ્રવ્યની અને પારદ્રવ્યની સ્વભાવથી જ ભિન્નતા હોવા છતાં મિથ્યાષ્ટિ જીવ તેને એકપણે માને છે. અજ્ઞાની ને સ્વદ્રવ્ય-પદ્રવ્યની જુદાઈ ભાસતી નથી. જેને જુદાઈ ભાસે છે તેને દૃષ્ટિમાં પારદ્રવ્યથી એકત્ત્વબુદ્ધિ તૂટી જાય છે અને પછી સ્વર્શયમાંથી પણ ભિન્નતા થઈ જાય છે અર્થાત્ ભેદરૂપ સાત તત્ત્વો દશામાંથી પણ અવસ્તુ થઈ જાય છે.
સ્વદ્રવ્ય પદ્રવ્ય વચ્ચે અપેક્ષા ઉપેક્ષા હોય પરંતુ રાગ-દ્વેષ ન હોય. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે હેય ઉપાદેય હોય પરંતુ મુખ્ય-ગૌણ ન હોય. મુખ્ય-ગૌણ જ્ઞાનની સિદ્ધિ કરે છે જ્યારે હેય-ઉપાદેય શુદ્ધનયની સિદ્ધિ કરે છે. બીજું પડખું જાણવા માટે ભલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk